________________
૯૩
જૈન ઈતિહાસ સાંભળીને તે સવદવ બ્રાહ્મણ તેમના ઉપાશ્રયે ગયો, અને ત્યાં ત્રણ દિવસ સુધી સમતાથી રહ્યો; ત્યારે મહેન્દ્રસૂરિજીએ તેમને પૂછ્યું કે, હે ઉત્તમ બ્રાહ્મણ ! તમારે કંઈ પ્રશ્ન પૂછવો છે? ત્યારે તે સર્વદિવ બ્રાહ્મણે વિનયપૂર્વક કહ્યું કે, હે ભગવન! આપ સર્વ લોકોના સંશયો છેદો છો, તો મારે પણ એક સંશય આપને પૂછવાનો છે. ત્યારે ગુરુમહારાજે તેને એકાંતે લઈ જઈ કહ્યું કે, તમારે જે સંશય પૂછવો હોય તે સુખેથી પૂછો. ત્યારે તે સવદવ બ્રાહ્મણે કહ્યું કે, હે ભગવન્! મારા પિતા પુણ્યશાળી હતા, તથા તેના પર રાજાની બહુ કૃપા હતી. તેથી રાજા તેને હંમેશાં એક લાખ સોનામહોરો આપતા, અને તેથી મને એવી શંકા છે કે, મારા ઘરમાં કોઈક જગ્યાએ પણ ધન દાટેલું હોવુ જઈએ. માટે હે ભગવન્! જો આપ મારા પર કૃપા કરીને તે સ્થાન આપના જ્ઞાનથી બતાવશો તો મારા પર મોટો ઉપકાર થશે; તથા હું પણ જૈનધર્મ અંગીકાર કરીશ, અને હંમેશાં સુખે સમાધિ રહીશ. ત્યારે આચાર્યજીએ તેની પાસેથી શિષ્યનો લાભ થવાનો જાણી તેને કહ્યું કે, હે દ્વિજોત્તમ ! જો અમે તે નિધાન તમને દેખાડીએ તો તમે અમને શું આપશો? તે અમને ખાનગીમાં કહો. ત્યારે તે બ્રાહ્મણે નમ્રતાપૂર્વક કહ્યું કે, જો આપ તેમ કરશો તો હું આપને તેમાંથી અર્ધ દ્રવ્ય આપીશ. ત્યારે આચાર્યજીએ કહ્યું કે, અમારી ઇચ્છા મુજબ તમારી પાસેથી અર્ધ વસ્તુ લઈશું; એમ કહી સાક્ષી રાખી તેનું લખત કરાવ્યું. પછી શુભ દિવસે આચાર્યજીએ તેને ઘેર જઈ તે નિધાન દેખાડ્યું; એટલે તે ખોદવાથી તેમાંથી ચાળીસ લાખ સોનામહોરો નીકળી; પરંતુ તે નિસ્પૃહી આચાર્ય કંઈ પણ લીધા વિના પોતાને ઉપાશ્રયે પધાર્યા. પછી તે સર્વદવ બ્રાણ અને મહેન્દ્રસૂરિજી વચ્ચે દાન ગ્રહણ માટે એક વર્ષ સુધી વિવાદ ચાલ્યો; પછી એક દહાડે તો તે સર્વદેવ બ્રાહ્મણ પ્રતિજ્ઞા કરી ઉપાશ્રયે આવી આચાર્યજી મહારાજને કહેવા લાગ્યો કે, હે ભગવન્! હવે તો હું આપને તે દાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org