SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૬ ] માનદીપિકા હોવાથી તે પદવીધરના ધ્યાન સંબંધી વાતને રૂપસ્થી ધ્યાનમાં સમાવેશ કરવામાં આવે છે. માટે અહીં તે પદસ્થ મહાપુરુષના નામનું સ્મરણ કરવું અથવા તે મહાપુરુષના પવિત્ર નામસૂચક અક્ષરનું-શબ્દનું ધ્યાન કરવું, તે આ પદસ્થ ધ્યાનમાં કહેવામાં આવશે. સિદ્ધમાં રૂપ નથી પણ તેનું ધ્યાન રૂપાતીતમાં આવવાનું છે એટલે અહીં પદસ્થ અર્થ તેના પવિત્ર પદનું-શબ્દનું-અક્ષરનું ધ્યાન કરવું તે થાય છે. મંત્ર અને પદ એનું ધ્યાન આ પ્રમાણે છેઃ ૩૪ માં આ બીજ મંત્ર છે તેને હૃદયકમળમાં અખંડ જાપ શરૂ કરે તે જાપ શાંતિવાળા સ્થળે બેસી, આંખ મીંચી, હદયમાં દષ્ટિ રાખી તે જાપના અક્ષરોનો ભાસ થતો રહે, સાથે તેના અર્થનું ભાન થતું રહે તેવી રીતે જાપ કરે. અથવા સ્ફટિક રત્ન જેવા ધળા વર્ણના કારને એકલો જાપ કુંભક કરીને કરે. પવનને હદયમાં રેકી તે સ્થળે જેટલો વખત કુંભક ટકી શકે-એટલે પવન રેકી શકાય તેટલા વખતમાં હૃદયમાં ત્યાં જાપ કરે. અથવા ધોળા વણને કાર ત્યાં કલ્પીને તેનું ધ્યાન કરવું. ધ્યાન કરવું એટલે તે ઋારને સ્થિરતાપૂર્વક જોયા કરો અથવા જાપ કરે. મન અકળાય એટલે પવનને મૂકી દઈ પાછા રેકી કુંભક કરી ધ્યાન કે જાપ કર. પાછો મૂકી દઈ ફરી પવનને રેકી જાપ કે ધ્યાન કરવું આ પ્રમાણે જેટલી સ્થિરતા હોય તેટલા પ્રમાણમાં શરૂઆતમાં આવી રીતે જાપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy