________________
[ ૨૦૬ ]
ધ્યાનદીપિકા
કાયદંડ. આ ત્રણ ğંડ છે, મનની, વચનની અને શરીરની અમુક જાતની હલકી પ્રવૃત્તિથી આત્મા દડાય છે. દંડાય છે એટલે આત્માના ગુણા દબાઇ જાય છે. નવીન કર્યાં તેના ઉપર ચડી બેસે છે, આત્માની અનંત શક્તિનું દેખાઇ જવુ તેના ઉપર આવરણ આવવું તે જ દંડાવું અહીં સમજવું, તેવી પ્રવૃત્તિથી વિરમવું-પાછા હઠવું- તેવું કામ ન કરવું તે, તે તે ઈંડાની વિરતિ કહેવાય છે.
ક્રમ એવા છે કે પ્રથમ શરીર દ્વારા ખાટી પ્રવૃત્તિ અટ કાવવી, પછી વચન દ્વારા થતી ખરાબ પ્રવૃત્તિ અટકાવવી અને છેવટે મનને પણ ખરાબ વિચારા કરતાં અટકાવવું, શરીરને અમુક પ્રવૃત્તિથી અટકાવવુ તે કામ પ્રથમ મનને અટકાવવા કરતાં સહેલું છે. જયાં સુધી શરીર પ્રવૃત્તિ નહિ કરે ત્યાં સુધી એકલા વિચાર તે કાર્ય સાધી નહિ જ શકે,
પ્રથમ મન જ અટકી જાય તે વચન અને શરીર સ્વાભા વિક રીતે જ અટકી પડે છે એ વાત ખરેખર સત્ય છે, તથાપિ મન ઉપર પ્રથમ જ કાબૂ મેળવી લેવા એ જેને અશકથ જેવુ લાગે છે તેમને માટે પ્રથમ શરીરાદ્વિ ઉપર કાબૂ મેળવવા એ કાંઈક સહેલું થાય તેમ છે.
મુખથી ખેલવું અંધ કરવું, તે આપણે આધીન જેવું છે મન કાઇના સબધમાં બેલવાના વિચાર કરે તથાપિ જયાં સુધી વચન તે શબ્દોને બહાર લાવી મૂકતું નથી ત્યાં સુધી તે ખેલવાના વિચારાથી જે ગેરફાયદાએ થવાના હતા તે અટકી પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org