SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૦૧ ] દ્રવ્યથી સર્વ વસ્તુઓના સંબંધમાં અસત્ય ન બોલવું. ક્ષેત્રથી લેક અને અલોકના સંબંધમાં અથવા લેકના કેઈ પણ ભાગમાં રહી અસત્ય ન બોલવું. કાળથી દિવસે અગર રાત્રિએ અસત્ય ન બોલવું. ભાવથી રાગ કે દ્વેષના કારણે અસત્ય ન બેસવું. મનથી, વચનથી કે શરીરથી અસત્ય બોલવું નહીં, બેલાવવું નહિ, અને બેલનારને અનુમોદન ન આપવું. આ બીજું મહાવ્રત છે. નિશ્ચયથી બીજું મહાવ્રત આત્મા એ જ આપણે છીએ, અથવા આત્મા એ જ આપણી વસ્તુ છે. તેનાથી પર જે પુદગલ-જડ વસ્તુ છે તે અન્ય છે, પર છે, પારકી છે. ૫ર વસ્તુને પોતાની ન માનવી ન કહેવી. પુદ્ગલિક, દેહને આત્મા ન કહે, આત્માને જ આત્મા કહે પરવસ્તુને પર કહેવી કાંઈ પણ વ્યાવહારિક વચન બોલતાં પોતે આત્મા છે એમ માની વ્યવહારને ખાતર મારાતારાપણાના શબ્દનો ઉપયોગ જાગૃત રહીને કરે, તે નિશ્ચયથી બીજું મહાવત છે. વ્યવહારથી ત્રીજું મહાવ્રત કોઈની કોઈ પણ વસ્તુની ચોરી કરવી નહીં, માલિકની રજા સિવાય વસ્તુ ગ્રહણ ન કરવી, કઈ પાસે લેવરાવવી નહિ, લેનારને અનુમોદન ન આપવું તે ત્રીજું મહાવ્રત છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy