SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫ર ] ધ્યાનદીપિકા કર્યું હોત, કે ઉત્તમ વિચાર કર્યા હતા, કે કાંઈ પણ સારુ કામ કર્યું હોત તો ? મન મેલું થવાને બદલે સુધરત. ઉજજવલ-નિર્મળ થાત, સારું પુણ્ય બંધાત કે જે વસ્તુની જરૂરિયાત કે ઈરછા હતી તે મેળવી આપવામાં મદદગાર થાત. માટે હે મનુષ્ય! આવા હવાઈ કિલ્લા બાંધવાનું બંધ કરી જેની જરૂરિયાત હોય તેને માટે મહેનત કરે, મનુષ્ય ! તમારા નિરંતરના વ્યવહાર સંબંધમાં તપાસ તે કરે કે મહેનત વિના કાંઈ મળે છે ખરું કે? અરે મોઢામાં મૂક્યા પછી પણ ચાવવાની મહેનત કર્યા પછી જ પેટ ભરાય છે, તે આ તમારા માથે કાંઈ એકલી લુખી ઈચ્છાથી જ પૂરણ થવાના છે કે? નહિ જ. કેટલાએક વિચારવાન મનુષ્યોને ઉપરની હકીક્ત ખરી લાગવાથી તે મનઈચ્છિત વસ્તુ મેળવવા માટે નાના પ્રકારનાં પુણ્ય, દાન, તપ, જપ, વ્રત, ઈત્યાદિ શુભ કાર્યો કરે છે, અજ્ઞાન કષ્ટ સહન કરે છે, માખીની પાંખ ન દુઃખાય ત્યાં સુધી છાનું રક્ષણ કરે છે, ઓઘ સંજ્ઞાએ ચારિત્ર પણ ઊંચું પાળે છે, આટલું કર્યા પછી તેમની આ માયિક વિષયોની ઈચ્છા તેમને ફસાવે છે. મહેનત કરીને તેને બદલે લેવાને તે તૈયાર થાય છે. તેને બદલે સ્વાભાવિક વખતે પિતાની મેળે મળી આવે તેટલા વખત સુધી પણ તેઓ ધીરજ ધરી શકતા નથી. તેમના સારા કર્મો કદાચ તેમની ઈચ્છા વિરુદ્ધ ફળ આપી દેશે, કે ફળ આપવાનું ભૂલી જશે, તેવી તેમને શંકા થતી હોય તેમ તેઓ પોતાનાં કરેલા શુભ કર્મને બદલે આગળથી માંગી લે છે. તેઓ નિયાણું કરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy