________________
[ ૧૨૨ ]
ધ્યાનદીપિકા
એકાંત નિત્યમુક્ત માનનાર છે કે અનિત્ય અને બદ્ધ માનાર છે, તેઓને તથા કુદષ્ટિવાળાને-એટલે જેઓની આંતર દષ્ટિ મલિન છે અથવા ખુલ્લી થઈ નથી, આત્મા તરફ જેઓનું વલણ થયું નથી, કેવળ ભવિષ્યના સુખ માટે દેવાદિક કે રાજ્યાદિકની પ્રાપ્તિ માટે ત્યાગ ગ્રહણ કરે છે, અજ્ઞાન તપચરણ કરે છે અને જેઓ કામનાપૂર્વક મલિન ઈરાદા પાર પાડવાની આશાથી ધ્યાનાદિ પણ કરે છે. તેઓનું ધ્યાન શુદ્ધ હેતું નથી કારણ કે તેઓને વસ્તુતત્વનું જ્ઞાન હતું નથી. સાધ્યની અજ્ઞાનતા કે સાધનની અજ્ઞાનતાને લઈ તે પિતાનું કર્તવ્ય સિદ્ધ કરી શકતા નથી. જેમ લક્ષ વિને ફેકેલું બાણ કે યોગ્ય સામગ્રી સિવાય કરેલા પ્રયાસ નિરઈક જાય છે તેમ તેઓનું ધ્યાન મુખ્ય ફળ દેવાવાળું થતું નથી.
સાધુ વેશધારીને ધ્યાન હોય છે? सदाचाराच्च भ्रष्टानां कुर्वतां लोकवंचनम् । विभ्रता साधुलिंगं च तेषां ध्यानं न शुद्धिदम् ॥५९।। नित्यं विभ्रान्तचित्तानां पश्यत्वेषां कुचेष्टित्तम् । संसारार्थ यतित्वेऽपि तेषां यात्यफला जनिः ॥६०॥
સાધુના વેશને ધારણ કરનારા (કરવા છતાં) સદાચારથી ભ્રષ્ટ થયેલા અને લોકોને ઠગનારાઓને ધ્યાન શુદ્ધિ આપતું નથી.
નિરંતર વિભ્રાંત ચિત્તવાળાઓના દુરાચારને તમે જુઓ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org