________________
ધ્યાનદીપિકા
[ ૭૧ ]
સમુદ્રમાં વહાણમાં પડેલું છિદ્ર. જેમ (વહાણમાં) જલ લાવે છે તેમ જીવ યોગરૂપ છિદ્રો વડે શુભાશુભ કર્મ ગ્રહણ કરે છે.
ભાવાર્થ:—આ ભાવનામાં કર્મને આવવાના કારણેને વિચાર કરવામાં આવશે. રાગાદિ પરિણામથી મન, વચન, શરીરના યોગ દ્વારા પુદ્ગલ પરમાણુનું આવવું તેને આશ્રવ કહે છે. આપણામાં એમ કહેવાય છે કે માંદા થયા પછી તેની દવા કરવી તેના કરતાં માંદા થવાના જે કારણે હોય તે કારણોને સમજીને મંદવાડને આવતા અટકાવે તે વધારે સારું છે. તેવી જ રીતે આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે આવતાં કર્મ અટકાવવાની જરૂર છે. પરંતુ કર્મ કરી પછી તે કર્મના પરિણામને નિર્મૂળ કરવા પ્રયત્ન કરે તેના કરતાં કર્મના કારણે સમજી તે કારણોને ખાસ દૂર રાખી કર્મ જ ન બાંધવા તે વધારે સારું છે. અને કર્મબંધન થવા માટે તેના કારણે સમજવાની ખાસ જરૂર છે. જ્યાં સુધી કમને આવવાના કારણે જાણવામાં આવતાં નથી ત્યાં સુધી તેમને રોકવાને માટે મનુષ્ય કેમ સમર્થ થશે? અને તે રોકવા માટે તે તરફ પ્રવૃત્તિ પણ કેવી રીતે કરી શકશે? કદાચ ઓઘ સંજ્ઞાએ પ્રયત્ન કરશે તે કર્મને છોડવાને બદલે કર્મ બાંધી લેવાનો પણ ભય રહેવા સંભવ છે. માટે પ્રથમ કર્મ આવવાના કારણે સમજવાની ઘણી જરૂર છે. આ કર્મ બે પ્રકારના છે, એક શુભ અને બીજું અશુભ. જે કર્મના ઉદયથી છ મન તથા ઇદ્રિયોને અનુકૂળ લાગે તેવા ઈષ્ટ વિષયોનો ઉપભોગ લે છે, જે કર્મોના ઉદયથી મજબૂત અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org