________________
ગાંધીજીએ આ બાબતમાં સરદારશ્રીને તાર કરીને પૂછ્યું કે, “આવું?'
સરદારશ્રીએ વળતો જવાબ મોકલ્યો : “આપ દસ વર્ષ થયાં અમને જે તાલીમ આપતા રહ્યા છો, તે અમે કેવી રીતે પચાવી છે અને તેનો અમલ કેવો કરીએ છીએ એ જોવું હોય તો ન આવશો.'
સરદારશ્રી આ અભૂતપૂર્વ રેલસંકટને પહોંચી વળવા રાતદિવસ બરોબર મંડી પડ્યા. આ ભયંકર આપત્તિમાંથી ગુજરાત-કાઠિયાવાડને બચાવી લેવા તેમણે ભારે જહેમત ઉઠાવી.
આ કપરા કાળને ખ્યાલમાં રાખીને સરદારે એટલો વખત રાજકારણને બાજુએ મૂકી દીધું.
સરદારે અને તેમના સાથી કાર્યકર્તાઓએ ઠેર ઠેર સરકારી અમલદારો અને કર્મચારીઓ સાથે ખૂબ સહકારથી અને હળીમળીને કામ કર્યું.
સરદારે પોતાની વ્યવસ્થાશક્તિની સૌ સરકારી અધિકારીઓ ઉપર ઘણી સારી છાપ પાડી. - સરદારશ્રી અને તેમના સાથી કાર્યકર્તાઓનું આવું સહકારભર્યું અને નિષ્ઠાપૂર્ણ સેવાકાર્ય જોઈને સરકારી અધિકારી મિ. ગેરેટ સાહેબે સરદારશ્રીને અભિનંદન આપતાં એક વાર કહ્યું:
આટલા સારા કામ માટે તમને અને તમારા મુખ્ય મુખ્ય સાથીઓને સરકાર કાંઈ માનચાંદ એનાયત કરે એવી
પ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org