SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીએ આ બાબતમાં સરદારશ્રીને તાર કરીને પૂછ્યું કે, “આવું?' સરદારશ્રીએ વળતો જવાબ મોકલ્યો : “આપ દસ વર્ષ થયાં અમને જે તાલીમ આપતા રહ્યા છો, તે અમે કેવી રીતે પચાવી છે અને તેનો અમલ કેવો કરીએ છીએ એ જોવું હોય તો ન આવશો.' સરદારશ્રી આ અભૂતપૂર્વ રેલસંકટને પહોંચી વળવા રાતદિવસ બરોબર મંડી પડ્યા. આ ભયંકર આપત્તિમાંથી ગુજરાત-કાઠિયાવાડને બચાવી લેવા તેમણે ભારે જહેમત ઉઠાવી. આ કપરા કાળને ખ્યાલમાં રાખીને સરદારે એટલો વખત રાજકારણને બાજુએ મૂકી દીધું. સરદારે અને તેમના સાથી કાર્યકર્તાઓએ ઠેર ઠેર સરકારી અમલદારો અને કર્મચારીઓ સાથે ખૂબ સહકારથી અને હળીમળીને કામ કર્યું. સરદારે પોતાની વ્યવસ્થાશક્તિની સૌ સરકારી અધિકારીઓ ઉપર ઘણી સારી છાપ પાડી. - સરદારશ્રી અને તેમના સાથી કાર્યકર્તાઓનું આવું સહકારભર્યું અને નિષ્ઠાપૂર્ણ સેવાકાર્ય જોઈને સરકારી અધિકારી મિ. ગેરેટ સાહેબે સરદારશ્રીને અભિનંદન આપતાં એક વાર કહ્યું: આટલા સારા કામ માટે તમને અને તમારા મુખ્ય મુખ્ય સાથીઓને સરકાર કાંઈ માનચાંદ એનાયત કરે એવી પ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005659
Book TitleSardar Shreena Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy