________________
કરેલી પોતાના દેશની સેવાના રૂપમાં તેઓ સદાકાળ જીવશે. તેમની પાછળ રહેલાંઓએ હજી અધૂરું કાર્ય આગળ ચાલુ રાખવાનું છે.
‘આજે આપણે તેમના સાથીઓ રુદન કરી રહ્યા છીએ. પણ આપણે કંઈ સરદારને માટે રુદન કરતા નથી. આપણે તો આપણે માટે રડીએ છીએ.
‘સરદાર પટેલ એક મોટું કુટુંબ મૂકતા ગયા છે, એ આપણે ન ભૂલીએ. આખો દેશ તેમનો પરિવાર છે. તેમની પેઠે રાષ્ટ્રની સેવા કરવાની આજે આપણે પ્રતિજ્ઞા લઈએ. તેમના આત્માને શાંતિ મળો.'
ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રના એ મહાન સપૂતને આપણાં કોટી કોટી વંદન !
‘એનું જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે સરદાર અમર રહો !’
Jain Education International
૬૪
For Personal & Private Use Only
www.jainelibrary.org