________________
૧૬
વીરની વિદાય
સરદારશ્રીને આંતરડાની અને કબજિયાતની પીડા પ્રથમથી જ હતી. પરંતુ દેશના કાર્યના દબાણને લીધે એની સારવાર કરવાનો તેમને પૂરતો સમય મળ્યો નહીં. શરીરનું સ્વાથ્ય સાચવવામાં સેવાના કાર્યક્રમને સરદારશ્રી મુલતવી રાખતા નહીં.
લાંબી મુદતના જેલનિવાસમાં સ્વમાની શિસ્તબદ્ધ સરદાર સાહેબને પોતાના શરીરને ખાતર અંગ્રેજ સરકાર પાસેથી કોઈ સગવડ માગવાની ટેવ નહીં.
પરિણામે શરીરની વધતી પીડા મૂંગા મોંએ અને પ્રસન્ન ચિત્તે તેઓ સહન કર્યા કરતા હતા.
અહમદનગરના કિલ્લામાંના બે વરસ તો તેમની સતત માંદગીમાં જ ગયાં.
ત્યાંથી છૂટ્યા પછી તો સરદાર સાહેબને શિરે એક પછી એક જવાબદારીઓ આવતી જ ગઈ.
દેશમાં વ્યાપેલા કોમી વિખવાદથી, હિંદુ અને મુસલમાનોએ કરેલા અમાનુષી અત્યાચારોથી, દેશના પડેલા ભાગલાથી અને એવા અનેક દુ:ખદ બનાવોથી લોખંડી પુરુષ ગણાતા એવા સરદાર સાહેબના દિલ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org