________________
૧૫
સરદારનું અભૂતપૂર્વ કાર્ય
આવી ગંભીર કટોકટીની ઘડીએ આપણા આઝાદ દેશનું સુકાન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને નાયબ વડા પ્રધાન સરદાર સાહેબને સાચવવાનું હતું. '
સરદારશ્રીના હાથમાં ગૃહખાતું હતું. એટલે દેશની અંદર સુલેહશાંતિ જળવાય, હિંદુ-મુસલમાનો સૌ કોમી વેરઝેર કાઢી નાખીને પ્રેમથી અને ભાઈચારાથી રહે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાની હતી.
વળી, એક બીજો અતિ વિકટ સવાલ પણ દેશ આગળ ઊભો હતો.
ભારત સ્વતંત્ર તો થયું પણ એમાં અસંખ્ય નાનાંમોટાં દેશી રાજ્યો આવેલાં હતાં. એ બધાંના વિલીનીકરણનો ભારે કોયડો સરદારશ્રી આગળ આવીને ઊભો હતો.
પરંતુ સરદારશ્રી ખૂબ સ્વસ્થતાથી, પ્રેમથી, ધીરજથી અને કુનેહથી તનતોડ પરિશ્રમ ઉઠાવીને એ સવાલનો સંતોષકારક નિકાલ લાવી શક્યા.
તે દિવસોમાં સરદારની તબિયત ખૂબ જ નાજુક હતી. છતાં એને ન ગણકારતાં તેમણે દેશને મોટી કટોકટીમાંથી ઉગારી લીધો.
૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org