________________
બે ભાઈઓનું હેત
સરદારે વકીલાત કરતાં જોયું કે, ભારે કેસોમાં જ્યાં અસીલ પૈસાપાત્ર હોય ત્યાં એ સરદારને વકીલ કરે, તોપણ એના મનમાં અધીરાઈ રહે. તેથી તે અમદાવાદથી બૅરિસ્ટર લઈ આવે.
મૅજિસ્ટ્રેટોની સામે રોફબંધ બોલીને અને ધમપછાડા કરીને પોતાની હોશિયારી દેખાડનારા બેત્રણ બૅરિસ્ટરો ખેડા જિલ્લામાં સારા જામી ગયા હતા. તેઓ સરદાર કરતાં વધારે ફી લેતા. '
સરદાર જોતા કે, એ બૅરિસ્ટરો કેસ ચલાવવાની આવડત-હોશિયારીમાં તો પોતાની તોલે જરાયે આવે એવા નહોતા. છતાં એવા બૅરિસ્ટરોને વધારે ફી મળે અને એમના જ મદદનીશ તરીકે સરદારને કોર્ટમાં બેસવું પડે ! આ વસ્તુ સરદારને માથાના ઘા જેવી લાગતી હતી.
પોતે જ જો બૅરિસ્ટર થઈ આવે, તો આ બધા બૅરિસ્ટરોને ક્યાંય આંટી દે એની સરદારને ખાતરી હતી.
આ બાબતને ખ્યાલમાં રાખીને સરદારે વકીલાત કરતાં કરતાં | વિલાયત જઈ બૅરિસ્ટર થવા જેટલી રકમ એકઠી કરવા માંડી.
એટલી રકમ ભેગી થઈ, એટલે સરદારે કોઈને પણ
૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org