________________
ઈડર ગયા અને શેખચલ્લીના વિચારો કરી ગામની પ્રદક્ષિણા કરીને પાછા આવ્યા.
‘છેવટે નક્કી થયું કે વિલાયત જવું હોય તો પૈસા કમાઈને જવું...'
એટલે સરદારે ‘સતું ભણવાનું અને સહેલાઈથી રળવાનો ધંધો' કયો એ વિચારીને વકીલાતનો વિચાર કર્યો. તેય એલએલ.બી. થવાનો નહીં, પણ ‘ડિસ્ટ્રિક્ટ પ્લીડર’ થવાનો. કૉલેજમાં જઈ ઉચ્ચ કેળવણી લેવા જેટલા તો ઘરમાં પૈસા નહોતા. પરંતુ મોટું કારણ તો એલએલ.બી. થતાં છ વર્ષ લાગે એ જ હતું.
એટલાં બધાં વર્ષ અભ્યાસમાં ગાળવાનું સરદારને વાજબી ન લાગ્યું. ઉંમર મોટી થઈ ગઈ હતી અને શક્ય એટલા વહેલા વકીલ થઈ, પૈસા કમાઈ વિલાયત જવું હતું.
વળી, ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા માટે તો ઘેર રહીને વાંચી શકાય અને ખર્ચ કંઈ જ ન થાય, એ પણ એની પસંદગીનું એક કારણ ખરું..
२६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org