________________
સરદારના મામા ડુંગરભાઈ એલ. સી. ઈ. પાસ થયેલા. તે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મુખ્ય ઈજનેર હતા. મ્યુનિસિપાલિટી તથા શહેરમાં તે સારી પ્રતિષ્ઠા ધરાવતા હતા. તેમણે સરદારને સલાહ આપતાં કહ્યું: ‘તું હવે મૅટ્રિક થઈ ગયો છે. તું જો અમદાવાદ આવે, તો મ્યુનિસિપાલિટીમાં મુકાદમની જગા અપાવું. જેમ કામ શીખીશ તેમ આગળ વધવાનો સારો ચાન્સ મળશે.'
પરંતુ સ્વતંત્ર મિજાજના સરદારને આવી નોકરીબોકરીથી શાનો સંતોષ થાય? એમના મગજમાં બાળપણથી જ ભારે ભારે મહત્ત્વાકાંક્ષાઓ ભરેલી હતી.
સાહસિક યુવાન સરદારને મોટા થઈ કંઈ અવનવું કરવાની મહત્ત્વાકાંક્ષા હતી. ' ' સરદારે નડિયાદ અને વડોદરામાં વકીલોને જોયા હતા. બૅરિસ્ટરોને પાગ જોયા હતા. એટલે એમના જુવાન મગજમાં જાતજાતનાં સ્વપ્નાં ઊભરાતાં હતાં.
આ અંગે સરદાર પોતે જ એક વાર જાહેર સભામાં જણાવ્યું હતું.
૧૯૨૧ના સ્વરાજ્યના જુવાળના દિવસોમાં અસહકાર વિશે મોડાસામાં અંક હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપતાં સરદારે પોતાની યુવાવસ્થાના મનોરાજ્ય વિશે બોલતાં કહ્યું હતું :
‘ભાઈ મોહનલાલે મારી ઓળખાણ આપતાં કહ્યું કે, હું પહેલાં અંગ્રેજની આબેહૂબ નકલ કરતો હતો, એ સત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org