SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ્રેજોએ ઝવેરબાપાને ઇન્દોર રાજ્યમાં પકડ્યા હતા અને તે રાજ્યના કેદી તરીકે તેમને ઇન્દોરના રાજા મલ્હારરાવ હોલકરને સોંપવામાં આવ્યા હતા. મલ્હારરાવ ઝવેરબાપાને કેદ કરી પોતાની સામે બાંધી રાખતા. • - એક વાર મલ્હારરાવ કોઈ દરબારી સાથે શેતરંજની રમત રમતા હતા. ઇન્દોરનરેશ રમતાં રમતાં એક સોગઠું ઉપાડ્યું અને ક્યાંક મૂકવા જતા હતા. ત્યાં તે ઝવેરબાપા બોલી ઊઠ્યા: “અરે રાજા, ત્યાં ન મૂકશો; પેલે ઘેર મૂકો.” ઈન્દોરનરેશે ઊંચું જોયું, તો ઝવેરબાપા બોલતા હતા! ઝવેરબાપાએ બરોબર સૂચવ્યું હતું. પાછી બીજી સોગઠી ભરવાની આવી. એ પ્રસંગે મલ્હારરાવ પાછા મૂંઝાયા. ત્યાં તો ઝવેરબાપાએ કહ્યું: “એ સોગઠી પેલા ઘરમાં ચલાવો.” મલ્હારરાવ તો રાજકેદી ઝવેરબાપાની બુદ્ધિશક્તિ જોઈને ખુશ થઈ ગયા. તેમણે ઝવેરબાપાને મુક્ત કર્યા અને પોતાના મિત્ર તરીકે રાખ્યા. પાછલી અવસ્થામાં ઝવેરબાપાએ ગામના સ્વામીનારાયણના મંદિરમાં સૂવા-બેસવાનું રાખ્યું હતું. એક વેળ જમતા અને જમવા માટે જ ઘેર આવતા. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005658
Book TitleSardar Shreenu Jivan Karya
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy