________________
અંગ્રેજોએ ઝવેરબાપાને ઇન્દોર રાજ્યમાં પકડ્યા હતા અને તે રાજ્યના કેદી તરીકે તેમને ઇન્દોરના રાજા મલ્હારરાવ હોલકરને સોંપવામાં આવ્યા હતા.
મલ્હારરાવ ઝવેરબાપાને કેદ કરી પોતાની સામે બાંધી રાખતા.
• - એક વાર મલ્હારરાવ કોઈ દરબારી સાથે શેતરંજની રમત રમતા હતા.
ઇન્દોરનરેશ રમતાં રમતાં એક સોગઠું ઉપાડ્યું અને ક્યાંક મૂકવા જતા હતા.
ત્યાં તે ઝવેરબાપા બોલી ઊઠ્યા: “અરે રાજા, ત્યાં ન મૂકશો; પેલે ઘેર મૂકો.” ઈન્દોરનરેશે ઊંચું જોયું, તો ઝવેરબાપા બોલતા હતા! ઝવેરબાપાએ બરોબર સૂચવ્યું હતું.
પાછી બીજી સોગઠી ભરવાની આવી. એ પ્રસંગે મલ્હારરાવ પાછા મૂંઝાયા.
ત્યાં તો ઝવેરબાપાએ કહ્યું: “એ સોગઠી પેલા ઘરમાં ચલાવો.”
મલ્હારરાવ તો રાજકેદી ઝવેરબાપાની બુદ્ધિશક્તિ જોઈને ખુશ થઈ ગયા. તેમણે ઝવેરબાપાને મુક્ત કર્યા અને પોતાના મિત્ર તરીકે રાખ્યા. પાછલી અવસ્થામાં ઝવેરબાપાએ ગામના સ્વામીનારાયણના મંદિરમાં સૂવા-બેસવાનું રાખ્યું હતું. એક વેળ જમતા અને જમવા માટે જ ઘેર આવતા.
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org