SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વીર્યરક્ષણ એ જીવન છે વીર્ય શરીરરૂપી નગરનો એક પ્રકારે રાજા છે. આ રાજા જો પુષ્ટ હોય, બળવાન હોય તો રોગરૂપી શત્રુ શરીરરૂપી નગર પર કદી આક્રમણ નહિ કરે, પરંતુ જેનો વીર્યરૂપી રાજા નિર્બળ હોય એ શરીરરૂપી નગરને અનેક રોગોરૂપી શત્રુઓ આવીને ઘેરી લે છે. આથી જ કહેવાયું છેઃ मरणं बिन्दुघातेन जीवनं बिन्दुधारणात्। ‘બિંદુનાશ (વીર્યનાશ) જ મૃત્યુ છે અને બિંદુરક્ષણ જ જીવન છે.' જૈન ગ્રંથોમાં અબ્રહ્મચર્યને પાપ ગણવામાં આવ્યું છેઃ अबंभचरियं घोरं पमायं दुरहिछियम्। ‘અબ્રહ્મચર્યએ ઘોર પ્રમાદરૂપ પાપ છે.” (શ્રીદશવૈકાલિક સૂત્રઃ ૬.૧૭) व्रतेषु वै ब्रह्मचर्यम्। અથર્વવેદ'માં બ્રહ્મચર્યને ઉત્કૃષ્ટવ્રતની સંજ્ઞા આપવામાં આવી છે.' ब्रह्मचर्यं परं बलम्। બ્રહ્મચર્ય પરમ બળ છે' એમ વૈદ્યકશાસ્ત્રમાં કહેવાયું છે. મનુષ્યનું આ વીર્ય ઊર્ધ્વગામી થઈ શરીરમાં પ્રસરતાં એ વ્યક્તિને નિર્ભય, બળવાન, સાહસી તથા વીર બનાવે છે. જો વીર્યનો અપવ્યય કરવામાં આવે તો એ મનુષ્યને સ્નેણ, દુર્બળ, કૃશકાય તથા કામોત્તેજનશીલ બનાવે છે અને એના શરીરનાં અંગોના કાર્યવ્યાપારને વિકૃત તેમજ સ્નાયુતંત્રને શિથિલ (દુર્બળ) કરે છે, અને અન્ય અનેક રોગો શિકાર બનાવે છે. જનનેન્દ્રિયના વ્યવહારની નિવૃત્તિથી શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક બળમાં અસાધારણ વૃદ્ધિ થાય g 22-Sie eine nternational For Personal & Private Use Only www.ja peru ૨૯
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy