SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ હતુરાન પછીની વિધિ રજસાવ પૂર્ણ થયાના ચોથે દિવસે સ્નાન કરવું તેને ઋતુસ્નાન કહે છે. અને ઋતુદાન આપવાનો સમય પણ તેજ છે. ઋતુસ્નાન કર્યા પછી સુંદર વસ્ત્રો પહેરી, દાગીના ધારણ કરી, કપાળમાં તિલક કરી, સર્વથી પહેલાં ઋતુવંતી સ્ત્રી પોતાના પતિનું મુખ આનંદપૂર્વક જુએ. એ મંગળ અને ફળદાયક રીતિ છે. ” મતલબ એ જ છે કે ઋતુસ્નાન કર્યા પછી જેવા પુરૂષનું મુખ જુએ તેવાં સંતાન છે પ્રાપ્ત કરે છે; માટે પહેલાં પતિનું મુખ જોવું, એ હિતરૂપ છે. જો ભર્તાર એ સમયે ત્યાં ન હોય તો વ્હાલા દીકરાનું અથવા તો પોતાનો કોઈ ગુણવંત સંબંધી હોય તેનું મુખ જોવું અને એમાંના દેવયોગે એક જણ પાસે હાજર ન હોય તો દર્પણની અંદર પોતાનું જ મુખ જોવું અથવા તો પરમાત્મા, કોઇ મહાપુરૂષ કે કોઇ સત્પરુષની સુંદર છબીઓ હોય તેમનો ચહેરો જોવો અને હંમેશાં જોતી વખતે મનમાં તથા હરતી ફરતી વખતે તમામ વખતે એ જ ધ્યાન ધરવું કે મને મનોહર રૂપગુણવંત સંતાન પ્રાપ્ત થાઓ. એવા સંકલ્પ કરવાથી શ્રેષ્ઠ સંતતિ થાય છે. કહ્યું છે કે : "गर्भोपपत्तौ तु मन: स्त्रियो यं जंतुं व्रजेत्तत्सदृशं प्रसूते" પતિસંયોગ સમય, અને તે પછી પણ જે પુરૂષનું ચિંતન સ્ત્રી કરે છે તે પુરૂષ સમાન સંતતિ થાય છે. HR શલા ternational For Personal & Private Use Only www.jainelib ayo ૨૫
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy