________________
આદર્શ માબાપની વ્યાખ્યા ચાણો આપી
બાળકના તદુરસ્ત ઉછેર એ આજના યુગની મોટામાં મોટી સમસ્યા છે. રિન્ટીંગની કળા ખૂબ અઘરી છે. બાળકને જન્મ આપવાથી માબાપ બની જવાય છે, પણ બાળકનો તંદુરસ્ત ઉછેર કરનાર માબાપ જ માતૃદેવો ભવઃ અને પિતૃ દેવો ભવઃ જેવાં પદોને લાયક છે. આજનાં મોટાં ભાગના માબાપો
પોતાનાં બાળકોનો યોગ્ય ઢબે ઉ છ ૨ ક૨વામાં નાકામિયાબ
નીવડ્યા છે. તેને કારણે આજની
નવી પેઢી દિશાવિહોણી
બની ગઈ છે અને
અધોગતિ તરફ ધકેલાઈ રહી છે. બાળકોના ગલત ઉછેરની સમસ્યા માત્ર ગરીબ અને મધ્યમ વર્ગમાં જ જોવા મળે છે, તેવું નથી શ્રીમંત કુળના નબીરાઓ પણ માતાપિતાની ભૂલોનો ભોગ બન્યા છે. ગરીબોનાં બાળકોની તમામ જીદ માતાપિતાઓ પૂરી કરતાં હોવાથી
ઓ વંઠી જાય છે અને પરિવારની વગોવણી કરે છે. આ બન્ને પ્રકારનાં માતાપિતાની સમસ્યાઓ હલ કરી શકે તેવી અભુત ચાવીઓ ચાણક્યના નીતિશાસ્ત્રમાં આપેલી છે.
alwFt
ચાણક્યના નીતિશાસ્ત્રમાં પિતાની પુત્ર પ્રત્યેની ફરજનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે, બુદ્ધિમાન લોકોએ પોતાના પુત્રને હંમેશા વિવિધ પ્રકારના સદાચરણનું શિક્ષણ આપવું જોઈ. નીતિમાન અને સદાચારી પુત્ર જ કૂળમાં પૂજાય છે. સ્કૂલનું કાર્ય બાળકને ગણિત, ભાષા, વિજ્ઞાન, ઈતિહાસ, ભુગોળ વગેરે વિષયોનું શિક્ષણ આપવાનું છે. બાળકને સદાચાર, વિનય,
For Personal & Private Use Only
M
lain Education International ૧૪૭.