________________
શ્રી સુપાર્શ્વનાથાય નમ:
'સોનલબેનનો અનુભવ
પ. પૂ. આ. ભ. શ્રી રાજહંસસૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં કોટી કોટી વંદના
આચાર્ય ભગવંત જીવનમાં સૌ પ્રથમવાર કંઈક રજૂઆત કરું છું. શું લખવું, કેવી રીતે લખવું તે આવડતું નથી. લખવામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો અજ્ઞાની જીવને માફ કરશોજી.
છે જેનો મારા પર અસિમ ઉપકાર છે એવી મારી માતાના ચરણોમાં વંદના. મને ગર્ભકાળ રહ્યો ત્યાર પછી સૌ પ્રથમવાર મેં મારી માતાને સામુહિક વર્ષીતપનું પારણું ગીતાંજલી સંઘમાં કરાવ્યું. ત્યાર પછી સુરતમાં બે દીક્ષા તથા દીક્ષાર્થીનું બહુમાન, વર્ષીદાનનો વરઘોડો, વિદાય સમારંભ વગેરે પ્રસંગો જોયા. આ બધા પ્રસંગો જોતા હું ખૂબ જ આનંદમય રહેતી હતી. ગોપીપુરામાં રોજ સાધુ-સાધ્વીજીના દર્શન થતા હતા. ક્યારેક આચાર્ય મ.સા.ના પણ દર્શન થતા હતા. હું રોજ વિમલનાથ જૈન દેરાસર (ગોપીપુરા)માં પૂજા કરવા જાઉં છું. ગર્ભકાળ દરમિયાન મને અલગઅલગ દેરાસર જવાનું તથા પૂજા કરવાનું મન થતું હતું. ખાસ કરીને સહસ્ત્રફણા પાર્શ્વનાથ, સૂરજમંડણ પાર્શ્વનાથ, સમેતશિખર વગેરે જિનાલયો. ક્યારેક વાસુપૂજ્ય જિનાલયમાં મંગળવારે પૂજા કરવા જતી હતી. મને
22-
SE 25
meratonal
For Personal & Private Use Only
www.
૧૪.