________________
છે જ
વિષય પ્રવેશ
)
ગર્ભાવસ્થા શું છે?
છ
ચૌદ રાજલોક સુધી ફેલાયેલા વિશ્વમાં કોઈ પણ ખૂણામાંથી એક જીવ પોતાનું આયુષ્ય પૂરૂ કરીને બીજી કોઈ પણ જગ્યાએ જન્મ લે છે. પોતપોતાના કર્માનુસાર જીવ જન્મ લેતો હોય છે. પણ જે જીવે ભરપૂર શુભકર્મનું ઉપાર્જન કર્યું હશે તે જીવનો જૈન શ્રાવિકા માતાની કુક્ષીએ- પેટે જન્મ થાય છે.
જૈન માતાની કુક્ષીએ જન્મ લેવો એ મોટા સૌભાગ્યની નિશાની છે. એક સાથે અસંખ્ય જીવ આયુષ્ય સમાપ્ત કરીને મૃત્યુ પામે છે. કોઈ કુતરાના કે કોઈ ગધેડાના જન્મ માં અવતાર લે છે. પણ જે આપની કુક્ષી માં હજી બંધ છે તે જીવે કાંઇક ને કંઇક વિશિષ્ટ પુણ્ય કર્યું હશે જેથી તે વિશ્વના સર્વશ્રેષ્ઠ ધર્મ જૈનશાસન ની એક માતાની કુક્ષીમાં અવતરીત થયો છે. ગર્ભાવસ્થા (પ્રેગનન્સી) એટલે શિશુમાં સારા સંસ્કાર આપવાનો સમય. જો માતા ગર્ભાવસ્થા(પ્રેગ્નન્સી) દરમ્યાન ખાવાનું, પીવાનું, હસવું, બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, જોવું ફરવું ઇત્યાદિ બાબતોમાં સાવધાન રહે, સંયમિત વર્તન કરે તો તેનું સંતાન સંસ્કારી, સદાચારી, તેજસ્વી, બુદ્ધીશાળી થાય છે. તેથી દરેક માતાએ ગર્ભાવસ્થા દરમ્યાન સામાન્યરીતે ઘરમાં જ રહેવું અને જો થઇ શકે તો વધારેમાં વધારે સમય જાપ- પૂજા - પાઠ માં વીતાવવો જોઇએ.
મMe શોના
ગર્ભાવસ્થાના સમયમાં માતા જેવા વિચાર કરતી હોય છે ઠીક તેવી જ અસર તેના સંતાન પર થાય છે. તેથી ગર્ભાવસ્થાના સમયમાં ટી.વી. જોવું નહીં,ગુસ્સો કરવો નહીં, ઝગડો કરવો નહીં, રડવું પણ નહીં, ખરાબ વિચાર કરવા નહીં, બિલકુલ ધાર્મિક જીવન જીવવું. માતાએ ફક્ત શિશુને જ જન્મ નથી આપવાનો પણ એક તેજસ્વી, શક્તિ - સંપનશિશુને જન્મ દેવાનો છે. માતાએ વિચારવું કે મારા સંતાનને જન્મ આપી વિશ્વમાં વસ્તિની વૃદ્ધિ નથી કરવી પણ એક શક્તિ ની વૃદ્ધી કરવી છે. મંદિરમાં જઇ અને મંદિરમાં ન જઇ શકે તો
on International
For Personal & Private Use Only
www.
૧