SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર શક્તિ આનો ઉત્ત૨ એ છે કે ૧૯૪૮ માં સ્પેલ્ટ. ડી. કે અને ૧૯૭૫માં કેહુ. જે. લી. નામના તબીબે પણ સગર્ભાવસ્થાના અંતિમ બે મહિનાના તબક્કે ૧૫ થી ૨૦ બાળકો પર વધુ તીવ્રતા ધરાવતા સંગીતમયઅવાજ દ્વારા જાણવા મળ્યું હતું કે પેલા તમામ બાળકોએ વધુ અવાજવાળા સંગીતની વ્યવસ્થિત પ્રતિસાદ આપ્યો હતો. આ બન્ને વિજ્ઞાનીઓએ તો ઉદરમાં અને નવજાત શિશુની ૨૪ જોડી પર પણ આ જ પ્રકારની વિશિષ્ટ પ્રયોગ કર્યો હતો. ઊંચા અવાજનું સંગીત સાંભળીને સગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં રહેનારા તમામ બાળકોએ હલનચલન કર્યું હતું: એટલે કે સંગીતનો તેમણે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. આ જ સંગીત તે જ નવજાત શિશુને સંભળાવામાં આવ્યું ત્યારે તેઓએ રડવાનું બંધ કરી દીધું. આ બન્ને પ્રયોગો દ્વારા પુરવાર થયું કે તાજા જન્મેલાં શિશુઓને સંગીતની હકારાત્મક અસર થઈ હતી. વળી તેઓ સંગીતમય અવાજને વ્યવસ્થિત પારખી પણ શક્યા હતા અને તેમણે તેનો આછેરો આનંદ પણ માણ્યો હતો. કહેવાનો અર્થ એ છે કે માતાના ગર્ભમાં ઉછરતાં બાળકમાં સ્મૃતિશક્તિ હોય છે અને તેઓ વ્યવસ્થિત ઉપયોગ પણ ક૨ે છે. ઉદરમાં ઉછરી રહેલા ગર્ભને જો ભગવાન, દેવી દેવતાનાં સંસ્કૃત શ્લોકો, શાસ્ત્રીય સંગીત સંભળાવે અથવા તેની સાથે દ૨૨ોજ મમતાસભર શબ્દો કે પ્રિય વાણી બોલે તો જન્મ બાદ તે સંતાનની ભાષા સરસ, વ્યવસ્થિત બને. ભવિષ્યમાં ભાષા પરનો કાબુ વધુ સારો બને. £0.9 © Jain Education International ૧૨૩ For Personal & Private Use Only www.jain
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy