________________
આકુંચન - પ્રસરણ દ્વારા શરીરના જે તે ભાગ સ્વસ્થ રહે છે. બસ આ જ રીતે રાગ દ્વારા રોગ ચિકિત્સા થઈ શકે છે. આ વિશ્વમાં એક શક્તિનું તત્ત્વ રહેલું છે. જેને Universal Energy Field કહેવામાં આવે છે. આ રાગ શક્તિને Universal Energy Fieldમાંથી Human Energy Field (HEF) માં રૂપાંતરીત કરે છે.
Central Nervous System (CNS) શરીરની મધ્યવતી સંસ્થા છે. તે આખા શરીરને કાબૂમાં રાખે છે. કાનમાં રહેલા ચેતાતંતુઓ (Auditory Nervous) પર આ રાગ અસર કરે છે. ત્યાંથી સંદેશો મગજ સુધી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાનના ચેતાતંતુઓનું વિસ્તરણ આ CNS માં બીજા કોઈપણ સંસ્થાન કરતા અધિક છે. તો હવે તમે પોતે જ વિચારી શકો કે કાન દ્વારા રાગ સાંભળવાથી રોગ પર શી અસર થશે?
સંગીતમાં એક ચોક્કસ પ્રકારની beats હોય છે. આની સંસ્મા ૭૦-૭૫ પ્રતિ મિનિટ હોય છે. હૃદયના ધબકારા પણ ૭૨ પ્રતિમિનિટ હોય છે. આમ સંગીતની દરેક ધૂનની હૃદય સાથે સીધેસીધો સંબંધ છે. જે સંગીતમાં 72 beats કરતા ઓછી હોય તેનાથી મન અને શરીર શાંત થાય છે અને જે સંગીતમાં beats ની સંખ્યા ૭૨ થી અધિક હોય તેનાથી હૃદય ઉત્તેજીત થાય છે. જેનાથી રક્ત ભ્રમણ વધે છે અને શરીરમાં નવયૌવનતા પ્રગટે છે. ચિકિત્સા કરતા પહેલા રોગીના કયા ભાવને જાગૃત કરવો છે તે અગત્યનું છે. માટે જ ચોક્કસ રોગ માટે ચોક્કસ રાગને ચૂંટવામાં આવે છે. ઉ.દા. કેફીરાગ - ઠંડુ, શાંત અને ગંભીરતાવાળું છે જ્યારે ધનસારી રાગ મધુર, ભારી તથા મનને સ્થિર કરનારું છે. બાગેશ્વરી રાગ મનને પ્રિય, ગંભીરતા આપનાર, શાંત અને સૌમનસ્યકારક છે.
આજના કાળમાં પણ રાગ તેટલા જ અસરકારક છે જેટલા પહેલા હતા રાજા અકબર આખા દિવસમાં દરબારના કે રાજકીય કામ કરીને થાકી જતા ત્યારે સંગીતકાર તાનસેન રાગ દરબારી રાત્રીએ વગાડતા અને રાજા તરત જ નિંદ્રાધીન થઈ જતા. બીજો એક પ્રસંગ ખૂબ જાણીતો છે કે જ્યારે રાજા અકબરને તાનસેન વિશે ખબર પડે છે કે તે દીપક રાગ ખૂબ સરસ રીતે ગાઈ શકે છે. ત્યારે તે હઠ પકડે છે કે આ જેટલા દીવા છે તેને પ્રજ્વલિત કરવાના છે, પણ રાજા એ સમજતા નથી હોતા કે જે વ્યક્તિ રાગ દીપક ગાય ત્યાર પછી તેના શરીરમાં
모
International
For Personal & Private Use Only
www.jainebre
૧ ૧૧૯