________________
આ પ્રસુતા માટે કેવું મકાન જોઈએ ?
પહેલાના કાળમાં બાળકોનો જન્મ ખાસ ગૃહશાસ્ત્રના નિયમ પ્રમાણે બનાવેલા પ્રસુતિગૃહમાં થતા હતા.તે પ્રસુતિગૃહ કેવું હોવું જોઇએ તેનું વર્ણન નીચે કર્યું છે.
બ્રાહ્મણી હોય તો ચુનાથી ધોળેલું, ક્ષત્રીયાણીને પીળા રંગવાળું, વૈશ્ય સ્ત્રીને લાલ રંગવાળું અને શૂદ્રાણીને કાળા રંગવાળું મકાન હોવું જોઈએ. તેમ ઉપરના માળે નહિ, ભોંયળતળીયે જ હોવું ઉત્તમ છે. તેનું બારણું પૂર્વમુખી, ઉત્તરમુખી કે દક્ષિણમુખી રાખવું. લીંપીને તૈયાર કરેલું ૪ હાથ પહોળુ ૮ હાથ લાંબુ અને સુંદર છત ચિત્રોથી શોભિતું હોવું જોઈએ અને તેની અંદર જ્ઞાતી દેશ કે રિવાજ પ્રમાણે જે જે પ્રસુતા માટે ચીજ જોઈએ તે હાજર રાખેલી હોવી જોઈએ.
તે મકાન વધારે ગરમીવાળું ન હોવું જોઈએ, પણ હુંફાળુ હોવું જોઈએ. તેમાં નવમો મહિનો બેસતા જ સારા દિવસે નક્ષત્ર, ચંદ્રમા કરણ અને ક્ષેત્ર મૂહુર્તમાં શાંતિ હવન કરી, અતિથિ અભ્યાગત દીનને દાન દઈ, ઇષ્ટ દેવનું સ્મરણ કરી ગર્ભવતીએ પ્રથમ જમણો પગ મૂકી તેમાં પ્રવેશ કરવો. પૂર્વ તથા ઉત્તર મુખે બેસી પૂજ્ય દેવ-ગુરુ તથા વડીલોને મન સાથે વંદના કરી સ્વસ્તિવાચન કહેવરાવી અર્થાત્ સપ્તસમરણ ભણાવી તેમાં આનંદથી રહી પ્રસવ સમયની રાહ જોવી.
Hી શાંતિ
International
For Personal & Private Use Only
www.jainerard VUN
૧૦૯