________________
પિતા દ્વારા બાળકને અપાતો આશીર્વાદ
अंगात् अंगात् संभवसि हृदयात अधिजायते। आत्मा वै पुत्र नामासि संजीव शरदः शतम्।।
હે પુત્ર તું મારા અંગ અંગમાંથી ઉત્પન્ન થયો છે, તું મારા હૃદયમાંથી જન્મ્યો છે તું મારૂ જ સ્વરૂપ છે. મારા જ સ્વરૂપે પુનઃ જન્મેલા હે પુત્ર તું સો વર્ષ સુધી જીવીત રહે. શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા જ્યારે ગર્ભવતી હતી ત્યારે શ્રીકૃષ્ણ સુભદ્રાને ચક્રવ્યુહની યુદ્ધનીતિનું જ્ઞાન આપી રહ્યા હતા. સુભદ્રા ચક્રવ્યુહના છ કોઠામાં કેવી રીતે પ્રવેશ કરવો તે તો બરોબર સાંભળી
લીધું, પણ તેમાંથી બહાર કેવી રીતે બહાર નીકળવું તે સમજાવતાં હતાં ત્યારે સુભદ્રા નિંદ્રાધીન થઈ ગઈ. આ રીતે અભિમન્યુને ચક્રવ્યુહમાં પ્રવેશ જ આવડતો હતો, પરંતુ તેમાંથી બહાર નીકળવાનું
જ્ઞાન નહતું. તાત્પર્ય એ છે કે, માતાના આરામ અને શ્રમની અસર તે ગર્ભ સંપૂર્ણપણે અનુભવે છે. માતા જાગતી હોય તે વખતે ગર્ભ પણ જાગતો હોય છે અને માતા સુતી હોય તે વખતે ગર્ભ પણ આરામ કરતો હોય છે. માતાના સુખે સુખી અને માતાના દુઃખે દુઃખી થવાનું તે ગર્ભના ભાગ્યમાં નિર્માણ થઈ ચૂક્યું હોય છે.
તેથી જ માતા જે કાંઈ કરે તેની સીધી અસર બાળક પર પડે છે ફક્ત શારીરિક જે. નહિ, પણ માનસિક અસર પણ પડે છે.
શાંત વાતાવરણમાં, આંખો બંધ કરો, સુખાસનમાં બેસો, જમણી હથેળીની નીચે ડાબી હથેળી રાખો, તમારા શ્વાસોચ્છવાસને અનુભવો હવે તમે તમારા બાળકની પ્રતિકૃતિની કલ્પના કરો. જુઓ કે તમારું બાળક કેવું લાગે છે
International
For Personal & Private Use Only
WWW.jaineli
|
૯૧