________________
પંજયંથી જીવને પાછો ખેંચી લેવો અને તેને (નવા શરીરમાં) ફરી સ્થાપવો, એવી (એમની સર્ગ-) લીલા કોઈ ગાય; (૧૮)
એ દૂર-અગમ્ય છે, એવો પોતાનો અનુભવ કોઈ . ગાય; (૧૯).
એ બધું જુએ છે અને સર્વત્ર) હાજરાહજૂર છે, એવું એમનું (અંતર્યામી) સ્વરૂપ કઈ ગાય; (૨૦)
એમનું વર્ણન કરવાનો કદી તોટો ન આવે; (૨૧) – કરોડો, કરોડ, કરોડો વાર કથ્યા કરે, તોપણ, (૨૨) એ દાતા આપ્યા કરે છે ને લેનારા લેતાં થાકે છે; () –યુગયુગાંતરથી એમણે આપેલું જ સૌ ખાય છે. (૨૪).
એ પરમાત્માએ પોતાના હુકમ વડે (આખા વિશ્વનો) માર્ગ પ્રવર્તાવ્યો છે; (૨૫)
પણ એ પોતે, હે નાનક, બેપરવા (પોતાના મહિમામાં) વિલસે છે. (૨૬)
૨૫ : દુમી દુનું વાઈ રહ્યું –
– પરમાત્માએ પોતાના હુકમ વડે આખા વિશ્વને માર્ગ પ્રવર્તાવ્યો છે. આગળ પડી ૧૬, કડી ૧૧૧-૩માં આવશે –
धौलु धरमु दइआका पूतु, संतोखु थापि रखिआ जिनि सूति ॥
जे को बुझै होवै सचिआरु । - પરમાત્માએ દયાપૂર્વક ધર્મરૂપી નંદી પેદા કરીને, તેના પ્રબંધમાં આ બધું સ્થાપી રાખ્યું હોઈ, સંતોષપૂર્વક પ્રવર્તે છે. એ વાત જે સમજે, તે સત્ય પરમાત્મામાં રમમાણ થઈ શકે.
અર્થાત્ પરમાત્માએ ધર્મના પ્રબંધમાં આ બધું સ્થાપી રાખ્યું છે. જેમ બહારના વિશ્વને ધર્મનિયમ સ્થાપ્યો છે, તેમ આંતર જીવસૃષ્ટિને ધર્મનિયમ પણ સ્થાપી રાખ્યો છે. તે અનુસાર ચાલીને જીવ પરમાત્માને પાછો પામી શકે. પહેલી પૌડીમાં
૧. સૈ– પાછો ખેંચી લે. ૨. હે= પાછો આપવો – સ્થાપવો. ૩. ત્રેિ સૂરિ દૂર દેખાય છે–અગમ્ય છે. ૪. – જાણે – અનુભવે. ૫. સૃષ્ટિની અંદર સર્વત્ર વ્યાપેલું અંતર્યામી સ્વરૂપ. ૬. | ૭. જ્યે . ૮. દુલામી- હુકમ કરનાર પરમાત્મા. ૯. રાહુ-રાહ -માર્ગ-મર્યાદા-નિયમ, વચલું વાઈ પદ દુલમુ અને રાહુ બંનેને લાગુ પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org