________________
ઉપેદ્ઘાત
૩૧
ઓળખાવે છે) સત્ય – સંતાષ – જ્ઞાન – ધ્યાન વગેરે ગુણાના ભાગી થાય છે (પૌડી ૮ થી ૧૨); અને પરમાત્માની ક્ષમાભરી કૃપાદૃષ્ટિ પામી જુદા તરવાય છે (કડી ૩૨૯).
(૨) આ પછી ‘જ્ઞાનખંડ'ની બીજી ભૂમિકા ઉપર સાધક આવે છે. તે ભૂમિકામાં મન-બુદ્ધિની સુરતા જાગતાં સકળ ભુવનાનાં અનેક નામ-રૂપ જોવા મળે છે (પૌડી ૧૨-૧૫); તથા એ પ્રચંડ જ્ઞાન-સાક્ષાત્કાર વેળાએ અનાહત નાદ અને તેવા કરોડો આનંદ પ્રાપ્ત થાય છે (કડી ૩૪૨-૩). આ ‘ જ્ઞાનખંડ'ની ભૂમિકાએ પ્રભુમાં સુરતાવાળા સેવકા (જ) પહોંચે છે.
(૩) ‘જ્ઞાનખંડ ની ભૂમિકા વટાવી, સાધક, પછી ‘શર્મ-ખંડ’ (કલ્યાણ-ખંડ)ની ત્રીજી ભૂમિકામાં પ્રવેશ કરે છે. ત્યાં અલૌકિક સુરતા-ચેતના-મન-બુદ્ધિના અનેાખા ઘાટ ઘડાય છે; અને સુરો-સિદ્ધોની એવી શૂધ-બુધ પ્રાપ્ત થાય છે (કડી ૩૪૯), જેની વાત સરખી માંએ કરી શકાય તેમ નથી.
.
(૪) ત્યાર પછીની ભૂમિકા એટલે ‘કરમ’ (કૃપા-)ખંડ. ઈશ્વરની કૃપા પ્રાપ્ત થતાં જે જોર જીવને પ્રાપ્ત થાય છે, તેના વડે તે જીવ કેટકેટલાં ક્ષેત્રો સર કરી લે છે. તે ભૂમિકાએ સાધક 'મહાબળી જોદ્ધો – શૂરમા' બની રહે છે. કારણકે, તેનામાં રામ પોતે જ ભરપટ્ટ વ્યાપી રહ્યા હોય છે. તેના સ્વરૂપનું વર્ણન કર્યું જતું નથી (કડી ૩૫૦-૭).
(૫) ત્યાંથી આગળની ભૂમિકા તે ‘સચખંડ' એટલે નિરાકાર પોતે! સાધક અને પરમાત્મા વચ્ચે ત્યાં ભેદ જ રહેતા નથી. જીવના અજ્ઞાનનું કોટલું તૂટી જતાં તે પોતે ‘વિમાર' બની જાય છે (કડી ૩૬૦ ઈ૦.). ત્યાંની વાત કોઈ કરવા જાય, તો તે લેાઢાના ચણા ચાવવા જેવું કઠણ છે (કડી ૩૬૩, ૩૬૭).
-
એ સ્થિતિની ભવ્યતાનાં કંઈક દર્શન શબ્દોમાં કરાવી, ગુરુ નાનક, એ ભૂમિકા પ્રાપ્ત કરવા જીવે શી સાધના કરવી ઘટે, એ મુદ્દાની વાતનું (કડી ૩૬૮-૩૭૪) પુનરાવર્તન કરે છે.
છેવટે બીજા ગુરુ અંગદ એ આખી વાત ઉપર પોતાની મહાર મારતાં (અંતિમ શ્લકમાં) કહે છે
Jain Education International
આ ધરતી ઉપર અવતરેલા જીવા, પોતપાતાનાં કર્મો અનુસાર, પરમાત્માની નજીક જાય કે દૂર જાય!
જે જીવાએ નામ-સ્મરણ
ક્યું, તે કોશિશ કરીને પાર
ઊતરી ગયા; તેમનાં માં ઊજળાં થઈ ગયાં, અને બીજા કેટલાય તેમની સાથે છૂટી ગયા !
For Personal & Private Use Only
www.jainelibrary.org