________________
આસા-દી-વાર ૧૪
અર્થ મારા સદ્ગુરુને વારી જાઉં – જેમનો સંગ થતાં હું પરમાત્માને સ્મરતો થયો.
તેમણે ઉપદેશ આપીને મારાં નેત્રોમાં જ્ઞાનરૂપી આંજણ આંક્યું, જેથી તે નેત્રો વડે જગતને હું (સાચે સ્વરૂપે) નિહાળવા લાગ્યો.'
જે સાધકો સાચા ખસમને છોડીને બીજે લાગે છે, તે (ભવસાગરમાં) ગોતા ખાયા કરે છે.
સદ્ગુરુ (એકમાત્ર) તારી શકે એવું જહાજ છે; કોઈ વિરલો એ વાત સમજે છે,
– અને જે સમજે છે, તેને સદ્ગુરુ કૃપા કરીને પાર ઉતારે છે. [૧૩]
कपड़ रूपु सुहावणा, छडि दुनीआ अंदरि जावणा । मंदा चंगा आपणा, आपे ही कीता पावणा ॥ हुकम कीए मनि भावदे, राहि भीडै अग्गै जावणा । नंगा दोजकि चालिआ, ता दिस्सै खरा डरावणा ॥ – ર અ૩મા પ્રોતાવMI || 8 ||
અર્થ . શરીરનું રૂપ તો સુંદર છે, પણ તેને દુનિયામાં પાછળ મૂકીને જવાનું છે.
પોતે કરેલાં સારાં-નરસાં કર્મોનું ફળ (ત્યાં તો) મળવાનું છે.
આ લોકમાં ભલે મનગમતા હુકમ કર્યા, પણ આગળ બહુ વસમો માર્ગ કાપવાનો છે.
૧. સમજવા લાગ્યો – એવો ભાવ. ૨. વળઝારિબા – સેદો-વેપાર કરવા નીકળેલા વેપારી – સાધક જીવ. ૩. ૩ – એટલે શરીર – જીવ જે ઓઢીને આવે છે તે. ૪. હે મીલૈ– ભીડાયેલ – સાંકડે માર્ગ. નરકનો માર્ગ બહુ સાંકડો છે, એવી માન્યતા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org