SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International PILIPS 3/199 For Personal & Private Use Only બહુરૂપિણી વિદ્યાથી અનેક રાવણની સાથે લડતાં લક્ષ્મણ 7 પ્રાતઃ કાળે ઉઠતાં જ ઘણાં અપશુકન થયા, છતાં પણ રાવણ યુદ્ધભૂમિ પર ગયો. ત્યાં લક્ષ્મણનું પરાક્રમ જોઈને ભયભીત બનેલા રાવણે બહુરૂપિણી વિદ્યાનું સ્મરણ કર્યું. એકાએક યુદ્ધભૂમિમાં પૂર્વપશ્ચિમ-ઉત્તર-દક્ષિણ બધી દિશાઓમાં રાવણનાં રૂપો દેખાવા લાગ્યાં. દરેક દિશામાંથી બાણવૃષ્ટિ કરતાં અનેક રાવણોને જોઈને રામની સેના ભયભીત થઈ. લક્ષ્મણ ગરુડ પર સવાર થઈને રાવણોની બાણવર્ષાનો પ્રતિકાર કરવા લાગ્યા. નિરંતર ચાલતી તેમની બાણવર્ષાએ રાવણને ઉદ્વિગ્ન બનાવી દીધો. બહુરૂપિણી વિદ્યા પણ લક્ષ્મણના અજોડ પરાક્રમ આગળ સફળ ન થવાથી રાવણે પ્રતિવાસુદેવનું ચિન્હ સુદર્શન ચક્રરૂપી અંતિમ શસ્ત્રનું સ્મરણ કર્યું. કોપાયમાન રાવણે ચક્રને હવામાં ગોળ ગોળ ફેરવીને લક્ષ્મણની દિશામાં ફેંક્યું. પરંતુ તે ચક્ર લક્ષ્મણને પ્રદક્ષિણા આપીને તેમના જ હાથમાં આવ્યું. કારણ કે લક્ષ્મણ સ્વયં વાસુદેવ હતા. વાસુદેવ પર સુદર્શનચક્ર પ્રહાર કરતું નથી. હવે રાવણને નૈમિત્તિકના કથનનું સ્મરણ થવા લાગ્યું. ત્યારે બિભીષણે ફરીથી એકવાર રાવણને ચેતવ્યું– ‘‘ભ્રાતાશ્રી ! હજી પણ આપ સીતાને પાછી સોંપી દો, તો આપનો વિનાશ નહિ થાય.’’ પરંતુ અંહકારી રાવણે કહ્યું- ‘રે દુષ્ટ ! ચક્ર નિષ્ફળ ગયું, તો શું થયું. હું મારા એક જ મુષ્ટિપ્રહારથી લક્ષ્મણને હણી નાંખીશ.’’ લક્ષ્મણે તત્ક્ષણે ચક્રને ગતિ આપીને રાવણના વક્ષઃસ્થળ પર ફેંક્યું. તે તેજસ્વી ચક્રએ રાવણની છાતી ચીરી નાંખી. વિશાળ વૃક્ષની જેમ રાવણ ધરાશાયી થઈ ગયો. રામસેનાએ જયનાદ કર્યો. સ્વર્ગમાંથી દેવોએ લક્ષ્મણ પર પુષ્પવૃષ્ટિ કરી. મૃત્યુ પછી રાવણનો જીવ ચોથી નારકીમાં ગયો. www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy