________________
Jain Education International
COLLE
પોતાની વહાલી બહેનની વાતો સાંભળી રાવણની કામવાસના ઉત્તેજીત થઈ. તે તુરંત ઉઠીને પોતાના પુષ્પક વિમાનમાં બેસી દંડકારણ્ય આવ્યો. ત્યાં સીતાની બાજુમાં ક્ષત્રિય-તેજથી શોભતા એવા શક્તિશાળી રામને જોયા. અગ્નિને જોઈને જંગલનો વાઘ જેમ ભયથી આકુળ વ્યાકુળ બની જાય છે, એવી જ રીતે રાવણનું કાળજું અસીમ પરાક્રમવાળા રામને જોતાં જ કંપવા લાગ્યું. થોડાંક અંતરે જઈને તેણે અવલોકન વિદ્યાનું સ્મરણ કર્યું. તે વિદ્યા તત્કાળ તેની સામે પ્રત્યક્ષ થઈ. રાવણે પોતાનો વિચાર જણાવ્યો – “હું આ સીતાનું અપહરણ કરવા ઇચ્છું છું, તેમાં તમે મને મદદ કરો.’' વિદ્યાએ રાવણને કહ્યું‘‘રામે લક્ષ્મણને કહ્યું છે કે કોઈ વખતે ભયંકર આપત્તિ આવી જાય, તો સિંહનાદ કરજે, તો હું તારી મદદે આવી પહોંચીશ. આમ રામને અહીંથી દૂર કરવા માટે સિંહનાદ કરવો પડશે, તો જ સીતાનું અપહરણ થઈ શકશે.’’ ત્યાર પછી રાવણના કહેવાથી વિદ્યાએ જ્યારે સિંહનાદ કર્યો, ત્યારે તે સાંભળી રામને ભ્રમણા થઈ કે ‘‘હાથી જેવો પહેલવાન મારો ભાઈ કોઈનાથી હારે તેવો નથી, પણ આ સિંહનાદથી તેના ઉપર કોઈ મોટી આપત્તિ આવી ગઈ હોય, તેવું લાગે છે. હવે શું કરવું ?’’ એટલામાં સીતાએ કહ્યું- “હે આર્યપુત્ર ! જલ્દી દોડો અને નાના ભાઈને બચાવી લાવો, નહિતર પેલા ચૌદ હજાર સૈનિકો તેમના શરીરના ટુકડે ટુકડા કરી નાંખશે.'' રામ તત્કાળ યુદ્ધભૂમિની દિશા તરફ ચાલ્યા. જતાં જતાં રામને ઘણાં અપશુકનો થયાં. પણ એ સંકેતોને અણદીઠા કરીને રામ તો પોતાના નાના ભાઈનું રક્ષણ કરવા માટે દોડ્યા.
રાવણે કરેલું સીતાનું અપહરણ
જેવા રામચંદ્રજી ત્યાંથી રવાના થયા કે તરત જ રાવણ પોતાના વિમાનમાંથી ઉતર્યો. આંસુ સારતી એવી સીતાને વિમાનમાં બેસાડીને રવાના થયો. સીતાનું રડવાનું સાંભળીને જટાયુ મનમાં ને મનમાં જ બોલ્યું “હે સ્વામિની ! આપ આ માયાવી રાવણથી જરા પણ ડરશો નહિ. હું એકજ ક્ષણમાં આપને મુક્ત કરાવી દઉં છું.'’ જટાયુએ મનોમન રાવણને કહ્યું- ‘હે માયાવી રાવણ ! કાયરની જેમ એક અસહાય અબળા સ્ત્રીને ઉપાડીને ક્યાં લઈ જઈ રહ્યો છે ? ખબરદાર...!'' આટલું કહીને તેણે રાવણ ઉપર હુમલો કર્યો.
51
For Personal & Private Use Only
www.jainelibrary.org