SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 17 જનક રાજાની ચિંતા જનક રાજાના રાજમહેલમાં તેમની સુપુત્રી સીતા વયમાં વધવા લાગી. સમય જતાં શુક્લ પક્ષના ચંદ્રની જેમ સોળે કળાએ વધતાં વધતાં પૂર્ણિમાના સંપૂર્ણ પણે ખીલેલા ચંદ્રની જેમ તેનુ રૂપ અને સૌંદર્યશોભવા લાગ્યું. રૂપવાન સીતા બુદ્ધિમાન તેમજ ગુણવાન હતી. મહાસાગરને મળવાને આતુર એવી અભિસારિકા ગંગાના જેવી ચંચળતા તેનામાં દેખાતી હતી. સરિતામાં રમતી માછલીઓની ચમક એનાં નેત્રોમાં જણાઈ રહી હતી. કમળ જેવા આંખોવાળી સીતામાં લક્ષ્મીજી જેવો રાજકીય વૈભવ તથા સરસ્વતી જેવું બુદ્ધિચાતુર્યના તેજનો સુમેળ સદેવ ભાસતો હતો. પોતાની સુપુત્રી સીતાને જોઈને જનકરાજા અને વિદેહા મહારાણીના હૃદયમાં અતિ આનંદ ઉભરાઈ આવતો. તેમજ કોઈ વખત પોતાની અતિ લાડકી પુત્રીને યોગ્ય પતિ ક્યારે મળશે ? એવી ચિંતા ઘેરાઈ જતી હતી. એક વાર બર્બર અને અનાર્ય દેશના આંતરંગતમ વગેરે અનેક રાજાઓએ જનકરાજાની ભૂમિ ઉપર એક સાથે મળીને હુમલો કર્યો. જેવી રીતે પૃથ્વીના પ્રલય સમયે મહાસાગર રોદ્રસ્વરૂપે ઉછાળા મારે છે અને બધું ખેદાન મેદાન કરતો આગળ વધે છે, પછી માર્ગમાં ભલેને મોટા મહાલયો હોય કે દરિદ્રોની ઝુંપડીઓ હોય બધાનો એકસાથે વિનાશ કરતો સર્વનાશ વેરે છે. દુનિયાની દરેક માનવીય શક્તિ તેની સામે બેહાલ થઈ જાય છે. તેવી રીતે જનકરાજા પણ અનાર્યોના આક્રમણને રોકવામાં અસફળ રહ્યા. વિધર્મીઓ અને મ્લેચ્છો દ્વારા જૈન મંદિરોનો ધ્વંસ થતો જોઈ તેમનું કાળજું કપાઈ જતું હતું. આવા સંકટ કાળમાં માણસનો પડછાયો પણ તેનો સાથ છોડી જાય છે, ત્યાં આપ્તજનોનું તો શું કહેવું ? ચિંતાતુર રાજા જનકને તે સમયે અચાનક દશરથ રાજાની યાદ આવી. વનવાસ દરમ્યાન થયેલ પરિચય, ગાઢ મિત્રતામાં પરિણમેલો હતો. તેથી તેઓ એકદમ ભાવાવેશમાં આવી ગયા. દશરથમાં જનકને અને જનકમાં દશરથને એક સાચા હિતેચ્છુ આત્મીયબંધુત્વનો અનુભવ થયો હતો. તેથી આવા આતના સમયમાં તેમની મદદ માંગવા માટે પોતાના અંગત દૂતને ગુપ્ત સંદેશ દઈને અયોધ્યા મોકલી દીધો. તે દશરથ રાજાની રાજસભામાં જઈને રાજાને સવિનય પ્રણામ કર્યા. અતિથિપ્રેમી દશરથ રાજાએ તેનું આવવાનું પ્રયોજન પૂછયું. પ્રત્યુત્તર આપતાં દૂતે કહ્યું, - “હે મહારાજાધિરાજ ! મારા સ્વામી જનકરાજાના કેટલાય સ્વજન, મિત્રો અને સગાઓ છે. પરંતુ સંકટ સમયે સહાય કરે, એવા એક પરમસ્નેહી આપને જ અમારા રાજા ગણે છે. વનવાસમાં આપ એકબીજાના પરમ મિત્ર બન્યા. સુખદુ:ખના દિવસો આપ બંનેએ સાથેજ રહીને વીતાવ્યા હતા. તેથી મારા સ્વામીને / / / / દશરથની રાજસભામાં જનકરાજાનો દૂત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005654
Book TitleJain Ramayan
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2002
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy