________________
* રાક્ષસવંશમાં જન્મેલા રાવણ પ્રતિવાસુદેવ હતા. તેમની રાજ્યસભામાં એક નિમિત્તજ્ઞ હતો, જે રાક્ષસવંશમાં જન્મેલ એક જ્ઞાની તેમજ તત્ત્વવેત્તા પણ હતો. એક દિવસ ચર્ચા ચાલતી હતી, તેમાં રાજા રાવણે પેલા નિમિત્તિકને પ્રશ્ન કર્યો કે- ‘સંસારમાં જન્મેલ દરેક જીવ મૃત્યુને આધીન હોય છે, છતાં દેવો અમર કહેવાય છે, તો પણ તેઓ પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં મૃત્યુ પામે છે. આખું જગત મરણને આધીન છે. પરંતુ જન્મ લેવો એ વૈકલ્પિક છે. ખાતર ધ્રુવ મૃત્યુ: I જેટલા જન્મ લે છે, તે બધા મરણ પામે જ છે. પણ જેટલા મરણ પામે છે, તે
બધાને જન્મ લેવો જ પડે, એ આવશ્યક નથી. જેઓ મૃત્યુ બાદ મોક્ષપદને પ્રાપ્ત કરે છે, તેઓ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. પણ જે મોક્ષપદને પ્રાપ્ત કરી શકતા નથી. તેમને બીજા ભવમાં ફરી જન્મવું, એ નક્કી હોય છે. તો મારો પ્રશ્ન એ છે કે મારું મૃત્યુ કુદરતી રીતે થશે કે કોઈ કારણ (નિમિત્ત)થી થશે ?' રાવણે આ પ્રશ્ન નિમિત્તજ્ઞને કુતૂહલવશ થઈને પૂછેલ. તેના ઉત્તરમાં નિમિત્તણે કહ્યું - “ભવિષ્યમાં જન્મ લેનાર જનકરાજાની પુત્રી અને દશરથરાજાના પુત્રના નિમિત્તથી આપનું મૃત્યુ થશે.”
રાજ્યસભામાં બિભીષણનો આક્રોશ
આટલું સાંભળતાં જ ક્રોધાવેશમાં બિભીષણ ઉભો થયો અને રાજ્યસભામાં જ ઘોષણા કરી- “આ નિમિત્તજ્ઞની ભવિષ્યવાણી હંમેશા સાચી જ હોય છે. છતાં પણ હું આ વાણીને જૂઠી સાબિત કરીને હીશ. દશરથનો પુત્ર કે જનકની પુત્રી જન્મે, તે પહેલાં જ હું એ બંને રાજાની હત્યા કરી નાખીશ કે જેથી વાંસ પણ ન રહે અને વાંસળી પણ ન વાગે. આ રીતે બંને રાજાઓનું તેમના પુત્ર કે પુત્રીનો જન્મ થાય, તે પહેલાં જ મૃત્યુ થઈ જાય, પછી જનમવાનો પ્રશ્ન જ નહિ રહે.” બિભીષણની વાતો સાંભળીને ગર્વિષ્ઠ રાવણે પોતાના ભાઈને તેની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે અનુમતિ આપી.
જ્યારે બિભીષણે આ પ્રમાણેની પ્રતિજ્ઞા કરી, ત્યારે રાજસભામાં નારદજી પણ હાજર હતા. આ જાહેરાત સાંભળતાં જ નારદજી તત્કાળ દશરથ રાજાને મળવા માટે રવાના થયા.
DIST
S
education
national P SON
F
P
nal & Private
4 રાક્ષસ વંશની સ્થાપના માટે જુઓ વંરિશિષ્ટી'S