________________
પરિશિષ્ટ - ૪ જટાયુનો પૂર્વભવ
આ ભરતક્ષેત્રમાં કુંભકારકટ નામના નગરમાં દંડક રાજા રાજ્ય કરતો હતો. તેનો વિવાહ શ્રાવસ્તી નગરીના રાજા જિતશત્રુની પુત્રી પ્રદરયાની સાથે થયો હતો. પુરંદરયશાના ભાઈનું નામ સ્કંદકકુમાર હતું. એકવાર દંડક રાજાનો મંત્રી પાલક શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાના દરબારમાં આવ્યો. તે વખતે તાત્વિક ચર્ચા ચાલી રહી હતી. તેમાં અંદકકુમારે પાલકને પરાસ્ત કરી દીધો. તેને શરમાનું પડ્યું. તેથી તેણે પોતાના હૃદયમાં બદલો લેવાની એક ગાંઠ બાંધી લીધી.
નિર્ધામણા કરાવતા રહ્યા. સમાધિ રાખવા માટે બધાને સમજાવતા કે
પાલક આપણો દુશ્મન નથી. આ તો ભાઈ કરતાં પણ ઉપકારી છે, કારણ કે આ કર્મોને તોડવા માટે નિમિત્ત બન્યો છે.” આ પ્રમાણે ગરદેવશ્રીની વાણીને સ્વીકારી ૪૯૯ આત્માઓ પીલાતાં પીલાતાં કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
તે પછી વૈરાગ્યભાવ જાગૃત થવાથી રાજકુમારસ્તંદકે મુનિસુવ્રત ભગવાનની પાસે પ૦૦ રાજપુત્રોની સાથે દીક્ષા ગ્રહણ કરી. વિશિષ્ટ અભ્યાસ કર્યા બાદ એમને આચાર્યપદવીથી વિભૂષિત કરાયા. ત્યારથી આ. ખંધકસૂરીશ્વરજી મ. સા. તરીકે પ્રસિદ્ધ થયા.
એકવાર ભગવાન મુનિસુવ્રતસ્વામીને પૂછીને ૫. ૫. આ. ખંધકસૂરીશ્વરજી મ. સા.એ પોતાની સાંસારિક બહેન પરન્દરયશાને પ્રતિબોધ આપવા માટે કુંભકારકટ નગર તરફ પ૦૦ શિષ્યોની સાથે વિહાર કર્યો. કેટલાંય વર્ષોથી મનમાં રહેલી વૈરાનુબંધની ગાંઠની સ્મૃતિ થવાથી પાલકે સાધુઓને રહેવા યોગ્ય ઉદ્યાનની જમીનમાં ગુપ્તરીતે શસ્ત્રો ડટાવ્યાં. અનુક્રમે વિહાર કરતાં કરતાં પ. પૂ. આચાર્યશ્રી કુંભકારકટ નગરની બહાર ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં દંડકરાજા (સાંસારિક બનેવી) આદિ તેમજ પ્રજાજનો ધર્મદશના સાંભળવા માટે આવ્યા. બધા અત્યંત
પ્રભાવિત અને હર્ષવિભોર થયા.
ત્યારબાદ જ્યારે તે એક નાનકડા બાલમુનિને યંત્રમાં પીલવા લઈ ગયો. તે જોઈ આચાર્યદેવશ્રીએ કરુણાપૂર્વક તેને કહ્યું- “હું આ બાલમુનિને પીલાતા જોઈ શકતો નથી. માટે પહેલાં મને પીલી લે. પછી તને જે ઉચિત લાગે, તે કરજે.” પાલકે કહ્યું- “તમારા હૃદયમાં વધુ પીડા અને દુ:ખ થાય, તે માટે તમારી સામે જ પીલીશ.” આ પ્રમાણે કહી તેણે બાલમુનિને યંત્રમાં નાંખ્યા. તે પણ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા. પરંતુ આચાર્ય મ. સા. અંધકસૂરીશ્વરજીએ નિયાણું કર્યું
મારા તપનું ફળ હો, તો દંડક, પાલક તથા તેના કુળ અને રાષ્ટ્રનો નાશ કરનારો થાઉં.” પાલકે તેઓને પણ પીલ્યા. પણ તેઓ મરીને અગ્નિકુમાર દેવ થયા.
દંડક રાજા મહેલમાં આવ્યા, ત્યારે રાજાને એકાંતમાં પાલક મંત્રીએ કહ્યું- “મુખમાં રામ બગલમાં છૂરી” આ બધો બહારનો દેખાવ (ઢોંગ) છે. ખરેખર તો આ આચાર્ય સંયમની કઠોર સાધનાથી ઉદ્વિગ્ન બની ગયા છે. તેથી તે આપનું રાજ્ય હડપ કરવા માટે આવ્યા છે. એમની સાથે જે ૫૦૦ મુનિઓ છે, તે મુનિઓ નહિ, પણ એક-એક સહસ્રયોદ્ધા જેવા છે. તેઓએ
ઉદ્યાનભૂમિમાં શસ્ત્રો છુપાવ્યાં છે.” ત્યારબાદ દંડક રાજાએ જમીન ખોદાવી. ત્યારે તેમાંથી શસ્ત્રો નીકળ્યાં. તે જોઈ રાજા ક્રોધથી રાતોચોળ થઈ ગયો. તેણે મંત્રીને કહ્યું- “હે મંત્રી ! આપ અતિશય બુદ્ધિશાળી છો, માટે આપે પહેલેથી જ બધું કારસ્થાન જાણી લીધું. હવે તેઓને જે સજા કરવી હોય, તે આપ કરી શકો છો. મને આ માટે ફરી પુછવાની જરૂર નથી.
તેઓનો ઓઘો મુહપત્તિ લોહીથી લથપથ થઈ ગયો હતો. પક્ષી ઓઘાને માંસ-પિંડ સમજી પોતાની પક્કડમાં લઈને ઉડ્યું. પણ ઉડતાંઉડતાં પક્કડ ઢીલી થવાથી ઓઘો તે પુરંદરયશાના આંગણામાં જ પડી ગયો. તેણે જેવો ઉપાડીને જોયો, તો તેને યાદ આવ્યું કે આ તો મારા દ્વારા અપાયેલ મારા ભાઈનો જ ઓઘો છે. તેને મહાન ઋષિની હત્યાનું ભયંકર દુઃખ થયું. શાસનદેવીએ તેને ઊંચકીને ભગવાન મુનિસુવ્રત સ્વામિની પાસે મૂકી દીધી. ભાઈના મૃત્યુથી વૈરાગ્યવાસિત બનીને તેણીએ દીક્ષા લીધી.
અગ્નિકુમારદેવે (ખંધકનો જીવ) અવધિજ્ઞાનથી નિર્દોષ ૫૦૦ મુનિઓની હત્યા જાણી દંડક, પાલક અને પૂરા નગરને સળગાવી નાંખ્યું. કોઈનેય બાકાત ન રાખ્યા. તે દિવસથી તે ક્ષેત્ર દંડકરાજાના નામથી દંડકારણ્ય કહેવાયું. પાલક સાતમી નરકમાં ગયો. દંડક રાજા પાપકર્મના કારણે અનેક દુઃખથી ભરેલી યોનિઓમાં ભટકીને પોતાના જ પાપકર્મના ઉદયે ગંધ નામક મહારોગી ગીધ પક્ષી થયો. સુગુપ્ત મુનિના દર્શનથી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેની પાંખો સુવર્ણમય બની ગઈ. વિશ્ર્વમરત્ન જેવી ચાંચ, પદ્મરાગ-રત્ન જેવા પગ, નાના પ્રકારના રત્ન જેવું શરીર અને મસ્તક ઉપર રત્નાકર જેવી જટા થઈ ગઈ. તેથી તે પક્ષી જટાયુ કહેવાયું.
આ સાંભળી દ્વેષી પાલક હર્ષવિભોર થઈ ગયો. તેણે માનવપીલણનું વિશાળ યંત્ર બનાવ્યું. આચાર્યશ્રીની સામે જ એક પછી એક શિષ્યને યંત્રમાં નાંખવા લાગ્યો. આચાર્ય મ. સા. એક-એક સાધુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org