________________
104
ૐ = =
અને
દીક્ષાની
અનુમતિ
Jain Education International
B
CCT
કાકાશ્રી લક્ષ્મણનું અકાળે મૃત્યુ જોઈને સંસારની અનિત્યતાથી અત્યંત ભયભીત થયેલા લવ-કુશે રામચંદ્રજીને પ્રણામ કરી કહ્યું- “મૃત્યુ તો ક્યારે પણ આવી શકે છે. તેથી મનુષ્યે હંમેશા પરલોકગમન માટે તૈયાર રહેવું જોઈએ. હે તાત ! આપના પ્રાણપ્રિય અનુજ એના અમારા કાકાશ્રીનું અકાળે મૃત્યુ જોઈને અમને તીવ્ર વૈરાગ્યભાવ જાગૃત થયો છે. આ અસાર સંસાર પ્રત્યે અમને જરાપણ આસક્તિ નથી. હવે અમારે અહીં રહેવું નથી. આપશ્રી અમને આજ્ઞા આપો એટલે અમે દીક્ષા લઈએ.’’
ઘરમાં પોતાના સગા કાકાશ્રીનુ મૃત્યુ થયું છે અને હજી અંત્યેષ્ટિ પણ થઈ નથી. આવા શોકના વાતાવરણમાં પણ ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવવાળા લવ-કુશે પિતા રામચંદ્રજી પાસેથી આશા મેળવીને અમૃતઘોષ મુનિ પાસે ચારિત્રધર્મ અંગીકાર કર્યો. ઉત્તમ આરાધના દ્વારા તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષમાં સંચર્યા.
For Personal & Private Use Only
www.jainelibrary.org