________________
પ્રિય વાંચકો...
આ પુસ્તક માત્ર વાંચવા માટે નથી... પણ જીવનમાં ઉતારવા માટે છે. એ માટે વાંચતી વખતે પેન્સીલ સાથે ) રાખવી. જે પણ સુવર્ણસૂત્ર જેવી વાત ઉપયોગી લાગે અંડરલાઈન કરો.. બીજી-ત્રીજી વાર વાંચતી વખતે એનાથી ઘણી સુવિધા રહેશે.
આ સુવર્ણસૂત્રોને યાદ રાખવાનો પ્રયાસ કરો... જીવનમાં લાગુ પાડવાનો સંકલ્પ કરો... જ્યારે કોઈપણ સહન કરવાનો પ્રસંગ આવે ત્યારે અનાદિકાલીન સંસ્કારોના કારણે મનમાં રોષ-રીસ-બદલો લેવાની વૃત્તિ જાગવા માંડે છે. એવા અવસરે આ સુવર્ણસૂત્રોને મનમાં મમળાવો... એને આધારે વિચારધારાઓ ઘડવાનો પ્રયાસ કરો. એક અપૂર્વ અનુભવ થશે. દિલમાં એક શાંતિની લહેર આકાર લેતી જણાશે... આવો અનુભવ એ આ પુસ્તકની સફળતા છે... એને વારંવાર દોહરાવવાના મનોરથ અને પુરુષાર્થ કરો...
જૈનધર્મના અજાણ વાંચકોને. કદાચ, પ્રારંભના પ્રપ્ટોમાં કેટલાક પારિભાષિક શબ્દોથી કઠિનાઈ લાગે... તો પણ પુસ્તક વાંચવાની ને જીવન બદલવાની મળેલી સોનેરી તકને છોડી | દેશો નહીં. ૧૬મા પૃષ્ઠથી વાંચવાનું ચાલુ કરો, આખુ પુસ્તક વાંચો. ને પછી ૧ થી ૧૫ પૃષ્ઠ વાંચો.. આ પુસ્તક તમારા રોજિંદા જીવન માટે પણ એટલું જ ઉપયોગી છે.
Printed by: SHRI PARSHVA COMPUTERS, 58, Patel Soci., Jawahar Chowk, Maninagar,
Ahmedabad-380008. Tel.25460295
For Personal & Private Use Only
www.jallery