________________
11...
જે કારમાય HI
પ્રાયશ્ચિત આપનાર ગુરુ પત્થરના ઘડા જેવા હોય છે. જેમાંથી એક અંશ પણ બહાર ન જાય. તેથી તું કોઈ ભય કે શરમ રાખીશ નહિ. શાસ્ત્રમાં એવા એવા દાખલાઓ આવ્યા છે કે માતા અને પુત્ર, પતિ-પત્ની જેવા પાપ કરનાર બન્યા. અરે ! ભાઈ-બહેન પણ પતિ-પત્ની બની પાપથી ભારે બન્યા. પરંતુ આલોચના લેવાથી શુદ્ધ થઈ ગયા. અરે ! એ જ ભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે પણ પહોંચી ગયા.
અરે પુણ્યશાળી આત્મા ! તું મારી એક વાત સાંભળી લે કે, મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે, આલોચના કહેવાના ભાવનો પણ એવો મહાન પ્રભાવ છે કે ગુરુને આલોચના સંભળાવતા સંભળાવતા કેટલાક મહાપુરુષોએ કેવલજ્ઞાન મેળવી લીધું. અમુક આત્માઓએ તો આટલું પ્રાયશ્ચિત આવ્યું છે, એવું સાંભળતા જ કેવલજ્ઞાન મેળવી લીધું. વધારે તો શું કહ્યું. આલોચના નિખાલસપણે કહી દેવાની તીવ્ર ભાવનાથી ઉઠીને ભવોદધિતારક ગુરુદેવ પાસે જતાં જતાં જ વચમાં જ કેટલાય ભવ્યાત્માઓએ કેવલજ્ઞાન મેળવી લીધું.
ધન્ય છે તે મહાપુરુષોને ! ધન્ય છે તેમની શુદ્ધ બનવાની તાલાવેલીને ! તું પણ તેવો જ મહાપુરષ ભવિષ્યમાં બનીશ ! અરે, મહાત્મન ! તું પણ અનેક જીવોનો તારણહાર બનીશ, કારણ કે તે તારી આત્મભૂમિકા શુદ્ધ બનાવી લીધી છે. ખાસ ખ્યાલ એ રાખવાનો છે કે સદ્ગુરુનો યોગ મળ્યા પછી પણ શુદ્ધ આલોચના ન કરી, તો રુમિણી આદિની જેમ અનેક ભાવી જીવન બગડી જશે. તું એમ ન માનીશ કે, ગુરુદેવશ્રી મને હલકટ માનશે કે બહારથી આટલો ધર્મી દેખાતો અંદરથી આવો કાળો મેશ ? કારણ કે શાસ્ત્રોના જાણકાર ગુરુદેવે તો શાસ્ત્ર અને અનુભવથી તારા કરતાં પણ ઘણાય પાપાત્માઓના જીવન જાણ્યા છે અને એમ * * - સમજેલા છે કે પાપ કરનાર આત્મા ખરાબ હોવા છતાં તે તે પાપની આલોચના લેનાર હોવાથી મહાન આરાધક છે.
પાપભીરુ આત્મા જ આલોચના લેવા તૈયાર થાય છે. પાપભીરુતા એ તો આત્માનો ગુણ છે. એવા ગુણવાળા પ્રત્યે ધિક્કાર આવી જાય, તો પ્રમોદભાવ ચાલ્યો
જાય અનેઅપેક્ષાએ સ્વયં સાધતાને ખોઈ
Jain Education International
For Personal Private Use Only
ainelibrary.org