________________
જજ છીએ. કર્મસત્તા તો જાણે કે આપણને પૂછે છે: “મેં તને ક્યારે જજ બનાવ્યો? એ જીવને થપ્પડ મારવાનો હુકમ મારો હોય તો તું એનું લેખિત પ્રમાણ આપ. આ તો તેં ખુદ જજ બનીને સજા કરી છે. ને સજા કરવાનો અધિકાર એકમાત્ર મારી પાસે છે. તેં એમાં દખલ કરી છે. માટે તું પણ સજાપાત્ર છે. ને તને પણ એની સજા થશે.” એટલે આપણને થપ્પડ મારનારો પણ એની પોતાની દૃષ્ટિએ તો જજ જ બની રહ્યો છે ને તેથી ભવિષ્યમાં એને પણ સજા થવાની જ છે. માત્ર આપણી સમતા માટે આપણે એને જેલર માનવાનો.
ટૂંકમાં, કોઈ આપણને હેરાન કરે છે તો એ જેલર, આપણે કોઈને હેરાન કરીએ છીએ તો આપણે જજ.
પ્રશ્ન : આ વિચિત્ર નથી ? બીજો પ્રતિકૂળ વર્તે તો જેલર, અને આપણે પ્રતિકૂળ વતીએ તો જજ...
ઉત્તર : ના, આ વિચિત્ર નથી, પણ આ જ અનેકાન્તવાદ છે. ઉપદેશમાં પ્રાયઃ સર્વત્ર આવું હોય છે. પોતા માટે જુદો અને બીજા માટે જુદો. જેમકે ઉપકાર અંગે-પોતે બીજા પર ઉપકાર કર્યો હોય તો એ ઉપકારને યાદ ન રાખવો જોઈએ, ભૂલી જવો જોઈએ. બીજાએ પોતાના પર ઉપકાર કર્યો હોય તો એ યાદ રાખવો, ક્યારેય ભૂલવો નહીં
પોતાના સુકૃતની પ્રશંસા કરવી નહીં, બીજાના સુકૃતને પ્રશંસા વિના રહેવું નહીં. આવી તો ઢગલાબંધ વાતો મળશે. એટલે નક્કી થયું કે બીજાઓ આપણા પ્રત્યે પ્રતિકૂળ વર્તન કરે તો કર્મસત્તાની કોર્ટના કર્મચારી-જેલર, આપણે બીજાઓ પ્રત્યે પ્રતિકૂળ વર્તીએ તો કર્મસત્તાની કોર્ટની કારવાહીમાં દખલગીરી કરનારા બિનનિયુક્ત જજ.
अघटितघटितानि घटयति, सुघटितघटितानि जर्जरीकुरुते ।
विधिरेव तानि घटयति, यानि पुमान्नैव चिन्तयति ।। અર્થ : અઘટિત ઘટનાઓને ઘડે છે ને સુઘટિત ઘટનાઓને રફેદફે કરી નાખે છે. જીવે જે સ્વપ્નમાં પણ ચિંતવ્યું ન હોય એને ભાગ્યે જ ઘડી કાઢે છે.
[જેલર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org