________________
પછડાટ મળે તો અપસેટ - ટેન્શન - ડિપ્રેશન વગેરે વગેરે અનેક નુકશાનો હોય છે. ને સુખ તો શું? ૧૦૦ માંથી ૧૫૦ કરોડ થયા ને ૧૫૦ માંથી ૨૦૦ કરોડ થયા. બસ ખાલી આંકડો વધતો જોવાનું સુખ ને પછી બધું છૂપું રાખવાની ચિન્તા. સ્વીસબેંકોમાં ભારતના રાજનેતાઓ – અભિનેતાઓ, ક્રિકેટરો અને વેપારીઓના ૭૫ લાખ કરોડ રૂપિયા સંભળાય છે ને! આંકડો જોઈ જોઈને હરખાવ! આ સિવાય આ સંપત્તિનું એના માલિકોને બીજું કોઈ સુખ મળતું હશે? પ્રશ્ન : સંપત્તિ હોય તો સુકૃત થાય ને? ઉત્તર : અહો ભાન્તિઃ ! ઝેરથી જીવન કહેવાય કે મોત?
“મોત.' પણ વૈદે આપેલું ઝેર કોઈકને જીવાડે પણ છે ને?'
હા, જીવાડે પણ હજારોમાં એકાદને બાકીના હજારો તો મરણને શરણ જ થાય છે. ને જે એકાદ જીવે છે તે પણ એમાં એવા સંસ્કાર કર્યા હોવાથી. માટે ઝેરથી મોત જ કહેવાય, જીવન નહીં.'
બસ, આ જ રીતે સંપત્તિથી પુણ્ય કરનારા કોક વિરલા જ હોય છે. બાકી મોટો ભાગ પાપ કરનારો જ છે. સુકૃત કરનારના જીવનમાં પણ ઘણુંખરું, પૈસાથી સુકૃત જેટલું થાય છે એના કરતાં પાપો જ વધુ થતા હોય છે. અરે! બીજાની ક્યાં વાત કરવી? માનવીએ પોતાના જ જીવનનો વિચાર કરવો જોઈએ કે પૈસા વધ્યા પછી મારા જીવનમાં પુણ્ય વધ્યું છે કે પાપ ? જીવન માટે અતિ આવશ્યક કહેવાય એટલી કમાણીથી વધારાની કમાણી બંધ થઈ જાય તો કેટલા કેટલા પાપ મારા જીવનમાંથી ઓછા થઈ જાય? પ્રામાણિકપણે આ વિચાર કરવા પર સ્પષ્ટ પ્રતીત થશે જ કે પૈસા વધવા પર પાપ જ દિન દૌ ગુના રાત ચારગુના વધ્યા છે. એટલે “ઝેર હોય તો જીવી શકાય ને !” આ જેમ એક બમણા છે એમ ‘પૈસા હોય તો પુણ્ય થાય ને !' એ પણ એક ભામણા છે એ વાત નિઃશંક જાણવી.
અસ્તુ. આપણે મૂળવાત પર આવીએ. વધારાના સંગીતે રાજાની ઉંઘ ઊડાડી દીધી. રાજા શિયાપાલકને પૂછે છે : અલ્યા ! તે ધ્યાન ન રાખ્યું ? હું સૂઈ ગયો હતો.
"“રાજન ! મને ખ્યાલ આવી જ ગયો હતો કે આપ સૂઈ ગયા છો. પણ....'
Jain Education International
For Personal & Private Use Only
જેલર.
elembrary.org