________________
એનું પણ વર્ણન કરે છે. ને પછી પૂછે છે કે “દોસ્ત! હવે મારે શું કરવું?
ધાર્યું હોત તો એ મિત્ર કહી શકતો હતો કે તું આટલો બધો આજ્ઞાંકિત ને નમ છે. ને છતાં તારી સાવકીમા તને આટલો હેરાન કરે છે? તારા બાવડામાં જોર છે કે નહીં? લે બુધુ ને કર સુવું. એકવાર એવો માર મારી દે ને કે મા ચૂપ જ થઈ જાય.” વળી આવી સલાહ તો એ કિશોરને પણ તરત જ ગળે ઉતરી જાય, ગમી જાય એવી હતી, કારણકે એની મનોદશા પણ એ જ ધ્વનિત કરી રહી હતી કે મારી મા બહુ દુષ્ટ છે. વળી બીજાને દુષ્ટ માનવાના જીવને અનાદિકાળના સંસ્કારો પણ છે જ. એટલે, ‘દોસ્ત! તારી મા દુષ્ટ નથી, પણ તારાં કર્મો દુષ્ટ છે છે.” આ વાત એના ગળે ઉતારવી એ સામે પ્રવાહે તરવા જેવું કઠિન હોવા છતાં એ મિત્રે એ કિશોરને એ જ સમજાવવાનું મુનાસિબ માન્યું, કારણકે એમાં જ કિશોરનું વાસ્તવિક કલ્યાણ હતું.
એણે કિશોરને આ જ હિતવાક્ય કહ્યું: દોસ્ત ! તારી મા દુષ્ટ નથી, તારા કર્મો દુષ્ટ છે. પ્રતિકાર તો જે દુષ્ટ હોય એનો જ કરવાનો હોય ને! જે દુષ્ટ નથી એનો પણ પ્રતિકાર કરવાનો હોય તો તો બધા આપણો પણ પ્રતિકાર કરવા માંડે!
પ્રશ્નઃ પણ જો માનો પ્રતિકાર ન કરવાનો હોય તો તો એના તરફથી આવતી પીડાઓ ઊભી જ રહેશે. અને તો પછી આ પ્રતિકાર “ન વર્તમાનમાં દુઃખ રહે, ન ભવિષ્યમાં દુઃખ આવે” એવા પ્રતિકાર રૂપ તો નહીં જ બને ને?
ઉત્તર : ના, એ એવા પ્રતિકાર રૂપ બનશે જ. આશય એ છે કે જે કાંઈ પીડા આવે, કષ્ટો આવે.. સહન કરવાનું આવે.. એ જીવને જો દુઃખી કરે તો જ દુઃખરૂપ કહેવાય છે. એ જો જીવને દુઃખી ન કરે તો એ દુઃખરૂપ કહેવાતું નથી.
અન્ય રાજ્ય પર વિજય મેળવીને સીકંદર સ્વદેશ પાછો ફરી રહ્યો હતો. પરાજિત રાજાનો ખજાનો વગેરે ઘણું ઘણું સાથે લીધેલું. એક મજુરને ઝવેરાત ભરેલો કોથલો ઉપડાવેલો ને પોતાની સાથે ને સાથે ચાલવાની આજ્ઞા હતી. એમાં વચ્ચે એક નાનો પર્વત આવ્યો. પેલો મજુર ખૂબ હાંફી જતો હતો. મંત્રીને દયા આવી. “રાજનું! આનો બોજ હળવો કરો ને.”
તું તો કહે છે. એ કહે છે?” ‘પૂછી લઉં?”
હા પૂછ, પણ ઊભો રહે, પહેલાં એક જાહેરાત કરાવકે “આ વખતે જે મજુરે જે માલ ઉપાડ્યો છે એ માલ રાજા એને જ ભેટ આપી દેવાના છે..”
૧૦
Jain Education International
જેલર. www.jainelibrary.org
For Personal & Private Use Only