________________
જ્યુસ વિ.માં રફેજનું પ્રમાણ બીલકુલ નથી એમ કહી શકાય. મેંદામાં જરાયે રફેજ નથી અને મેંદા સિવાય કેટલું અનાજ જતું હશે તે કોણ જાણે ! એટલે પરદેશમાં આ પ્રચાર અત્યંત જરૂરી છે.
પરદેશમાં ૨ફેજનો સદંતર અભાવ છે એટલે આપણે ત્યાં પણ તેનો અભાવ માની લેવામાં આવ્યો છે. વસ્તુતઃ એ ખોટું જ છે. આપણે ત્યાં બ્રેડનો વપરાશ કદાચ સવારે એકવાર જ થતો હશે અને તે પણ કવચિત્. આપણે ત્યાં બંને ટાઇમના ખોરાકમાં દાળ, ભાત, ઘઉં કે જુવાર, શાકભાજી વિ.નો વપરાશ છે. એટલે આપણે ત્યાં રફેજના અભાવના કારણે થતા રોગો બહુ ઓછા થાય છે. દા.ત., રફેજના અભાવનો એક પરદેશનો ખૂબ જાણીતો રોગ છે જેને ડાઇવર્ટિક્યુલાઇટીસ (Diverticulitis) કહેવામાં આવે છે. મારી ચાલીસ વર્ષની પ્રેકટીશમાં આ રોગનો એક
પણ રોગી મેં અહીં જોયો નથી. કોલોન એટલે આંતરડાના કેન્સરનું પ્રમાણ પરદેશમાં ઘણું વધારે છે જ્યારે આપણે ત્યાં ઘણું ઓછું છે. એટલે પાશ્ચાત્યો ખરેખર ‘રફેજ’ના અભાવથી પીડાય છે. જ્યારે આપણે
ત્યાં એ નથી. કદાચ પરિસ્થિતિ ઉલ્ટી છે. આપણે ત્યાં રફેજનો વપરાશ કદાચ વધુ પડતો હશે, કારણ બન્નેવાર ખૂબ શાક ખવાય છે અને અનાજમાં પણ રફેજ સારું એવું હોય છે એ યાદ રાખવું રહ્યું.
97
બે શાક, સલાડ તો હોય જ. રાત્રે તો લગભગ બધા જ ઘરોમાં ભાખરી-શાક કે રોટલો-શાક ખવાતાં થઇ ગયાં છે.
. ઉપરોક્ત આહારના નમૂના ઉપરથી એક બીજી વાત પણ સ્પષ્ટપણે ફલિત થાય છે કે શાક ત્યાં આહારનું એક નાનું અંગ છે. માંસાહારની સાથે જ થોડું શાક ખવાય છે. ત્યાં શાક એ પેટ ભરવાનો પ્રમુખ આહાર નથી.
જ્યારે આપણે ત્યાં એથી ઉલ્ટું છે. આપણે ત્યાં શાકે આહારનું સ્થાન લીધું છે. મોટા ભાગના લોકો
ફક્ત રોટલી-શાક કે ભાખરી-શાક ખાય છે.
સવાર-સાંજના નાસ્તામાં પણ રોટલી-શાક ખાનારાઓની સંખ્યા સારી એવી છે.
બપોરના ખોરાકમાં દાળભાત-રોટલી-શાક ખવાય છે. તેમાં પણ શ્રીમંતઘરોમાં તો ઓછામાં ઓછા
Jain Education International
એટલે હિંદુસ્તાનમાં લોકો રફેજના અતિ ઉપયોગથી પીડાય છે. વધારે પડતું રહેજ પણ નુકશાનકારક છે અને ખોરાકના કેટલાક જરૂરી અંશોને આંતરડામાં શોષણ થતા અટકાવવાનું કામ કરે છે એ ખાસ યાદ રાખવું રહ્યું.
શાકના વધુ પ્રચારનું બીજું એક કારણ :
પરદેશમાં સ્થૂલતાનું પ્રમાણ ધીમે ધીમે વધતું જ જાય છે. સ્થૂલતાએ એટલું ગંભીર સ્વરૂપ પકડયું છે કે ચિકિત્સકો ચિંતામાં પડી ગયા છે. કારણ કે
અનેક આધુનિક રોગોની જન્મદાતા સ્થૂલતા છે અને સ્થૂલતા ઓછી કરવા માટે આધુનિક વિજ્ઞાને એક જ સૂત્ર જગતને આપ્યું છે : ‘ઓછી કેલરીવાળો ખોરાક ખાવ અને રફેજનું પ્રમાણ વધારો.’
આધુનિક આહારશાસ્ત્ર શાકની આટલી બધી તરફેણ શા માટે કરે છે ? એનાં કદાચ ત્રણ
કારણો છે.
(1) શાકમાં રફેજનું પ્રમાણ ખૂબ છે. (2) શાકમાંથી ખૂબ ઓછી કેલરી મળે છે. (3) શાકમાં વીટામીન્સ અને ક્ષાર સારા પ્રમાણમાં છે.હવે આ મુદ્દાઓ આપણે આગળ ઉપર ચર્ચીશું. જ્યારે કોઇ પણ પ્રજા પોતાના ખોરાકની ત્રુટીનો અભ્યાસ કરવા બેસે ત્યારે તેની નજર સમક્ષ ફક્ત પોતાનો જ આહાર હોય છે. એટલે સ્વાભાવિક રીતે જ એમને એમના આહારમાં શાકનો વપરાશ
નહિવત્ દેખાયો અને એ ખોટું પણ નથી. કારણકે ત્યાં પ્રોટીન, ફેટ, અને કાર્બોહાઇડ્રેટ ભરપૂર પ્રમાણમાં ખવાય છે. ફક્ત શાકની જ ખામી છે. આપણે ઉપર
જોયું તે પ્રમાણે માંસ, મચ્છી, ઇંડાં, મેંદાની બ્રેડ, ચીઝ, ફૂટજ્યુસ, દૂધ વગેરેમાં રફેજ બીલકુલ નથી એટલે એની પૂર્તિ માટે એમની નજર શાક ઉપર પડી. વધુ પડતા પ્રોટીન અને વધુ પડતી કેલરીથી પીડાતી
For Personal & Private Use Only
www.jainelibrary.org