________________
૪) રોટલી-ભાખરી-બ્રેડ-પાઉ-પીઝા બીજા દિવસે વાસી કહેવાય છે. ૫) શીરો-લાપસી તળી દેવાય તો પણ બીજા દિવસે વાસી છે કારણકે એમાં પાણીનો
અંશ રહે જ છે. દુધીનો હળવો બીજા દિવસે વાસી થાય છે. ચુરમા માટે મૂઠિયા
તળીને ભૂકો કર્યા પછી શેકીને બનાવો તો જ ચાલે નહિંતર વાસી કહેવાય. ૬) ગુલાબ જાંબુન, જલેબી, સૂતરફેણી અને બંગાળી મિઠાઇ વગેરેની ચાસની કાચી
હોય છે માટે બીજા દિવસે અભક્ષ્ય છે. ૭) માવાના પેંડા-બરફી-માવો જો ઘી માં સેકાઇ લાલન પડે તો બીજા દિવસે અભક્ષ્ય
છે. કારણકે એમાં પાણીનો અંશ રહી જાય છે. (બજારની મીઠાઇમાં વજન વધે
માટે પ્રાયઃ દરેકમાં પાણી રાખતા હોય છે.) ૮) દહીં-છાસમાં કરેલ પૂડી-પોલૈયા બીજા દિવસે ચાલી શકે પણ પછી અભક્ષ્ય બને છે. ૯) રાત્રેવડુબનાવવી અજયણા છે. સવારે અજવાળું થાય તે પહેલાં વસ્તુ બનાવવાથી
અજયણાનો દોષ લાગે છે.
૨૨
૧) બુંદીના લાડવામાં પાણીનો હાથ લગાડે, કેસર પલાડી મિઠાઇ ઉપર છાંટે એમાંય
પાણીનો અંશ હોય છે. ૨) દૂધમાં બનાવેલ પૂડી બીજા દિવસે અભક્ષ્ય છે.' ૩) દહીં:- બેરાત ઓળંગવું ન જોઇએ. બે રાત પૂરી થાય એની પહેલા છાસ બનાવી
દીધી હોય તો એ પણ બે રાતઓળંગવી ન જોઇએ છાશનાથેપલા કેવડા બનાવ્યા
હોય તો એ બીજા દિવસે ચાલી શકે છે. ૪) જલેબીમાં આથો લાવવા માટે વપરાતું કેમિક્લ (હાડ્રો) અભક્ષ્ય છે. ખીચિયા,
પાપડ વહેલા બનાવવામાં અજયણાનો દોષ છે એ ધ્યાન રાખવું. રાતે બનાવવાથી અંદર જીવો પડે છે. “હિલીંગ બાઇસનલાઇટ' પુસ્તકમાં લખ્યું છે, ગમે તેટલી પાવરફૂલ લાઇટ હોય તોય કમળના ફૂલને ખિલવવા સૂર્યનો પ્રકાશ જ કામ લાગે છે.”
ગુડનાઈટ...૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org