________________
બહાર પાડ્યું છે, એમાં જૈનડાયટ' ને યોગ્યમાં યોગ્ય કહ્યું છે. કંદમૂળ તામસી છે,
ન ખવાય, એ પણ એમાં લખ્યું છે. તામસી ખુરાક માણસને તામસી બનાવે છે. ૫) “પોટેટો (બટેટા)માં ઝેર છે, કેન્સરને કરે છે” આજે વૈજ્ઞાનિકો કહે છે. જૈન
દર્શનમાં પરાપૂર્વકાળથી બટેટાનો નિષેધ કરેલો છે. ૬) જૈનની ઓળખતરીકે (૧) રોજ જિનપૂજા (૨) કંદમૂળત્યાગ (૩) રાત્રિભોજન
ત્યાગ આટલું તો હોવું જ જોઇએ. ૭) જેનો જાગો ! અભક્ષ્ય સાથે “જૈન” શબ્દ જોડી છેતરપીંડી કરાય છે. જૈન પાઉં,
જૈન પીઝા, જૈન આમલેટ, જૈન આઇસ્કિમ આદિ (જૈન આમલેટમાં કાંદા નથી
હોતા પણ ઇંડાનો રસ હોય છે. ચેતતા રહેજો.) ૮) એક્વાર પેટ અભડાઇ ગયું, તો જીવન અભડાઇ જશે. ૯) જેનું રસોડું ભ્રષ્ટ એનું જીવન ભ્રષ્ટ થતાં વાર નથી લાગતી. ૧૦) અન્ન અને મનની હોટ લાઇન છે. જેવું અન્ન તેવું મન આહારતેવો ઓડકાર.
જેસાખાઓગે અન્ન, વૈસાબનેગામન.જૈસાપાઓગે પાણી, વૈસીનિકલેગી
વાણી. ૧૧) ત્રણ ડિશની ચર્ચા ખાસ કરવાની છે. ૧) મારવાડી ડિશ ૨) કચ્છી ડિશ
૩) ગુજરાતી ડિશ. મારવાડીઓ પાપડને, કચ્છીઓ છાસને અને ગુજરાતીઓ અથાણાને ભોજનનું અંગ માને છે. એમાં ભક્ષ્યાભઢ્યની સર્ચલાઇટ નાંખવાની છે.
. મારવાડી ડિશ... ૧) ચોમાસામાં પાપડ અભક્ષ્ય છે. તે સિવાય ૮ મહિના અભક્ષ્ય નથી. ૨) શેકેલા પાપડ અને ખિચિયા બીજા દિવસે વાસી બને છે. એમાં રહેલ ક્ષાર
વાતાવરણમાંથી ભેજને પકડે છે. તળેલા પાપડ મિઠાઇના કાલે ચાલે છે. ૩) વાસી વાનગીઓ:- જેમાં પાણી રહે, એ તમામ વસ્તુઓ વાસી છે. એમાં અનેક
જીવો ઉત્પન્ન થાય છે.
ગુડનાઈટ.. 80 For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org