________________
... અભિષેક વિધિ. ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે અડધું અંગ નમાવવું હાથ જમીનને અડાડવા નહિં.
મુખકોષ બાંધીને નિશીહિ કહીને ગભારામાં પ્રવેશ કરવો. પંચામૃત અભિષેક જળ તૈયાર કરવું. ૧) જળ ૨) ગાયનું દૂધ ૩) દહીં૪) ઘી ૫) સાકર. ગાયનું દૂધ મળી શકે તો ઉત્તમ દરેક ઘરથી નાની વાટકી પણ દૂધ લાવવામાં આવે તો ઉત્તમ લાભ મળી શકે.
પહેલા મોરપીંછીથી પ્રભુને પૂંજી - વાસી લો થાળીમાં લઈ ત્યારબાદ આંગી ઉતારી ભીના વસ્ત્રથી કેસર ઉતારવું. બે હાથથી કળશ પકડી ભગવાનને કળશ અડકે નહીં તેમ મૌનપણે મસ્તકથી અભિષેક કરવો.
૧૬) અભિષેક પૂજામાં કેટલીક સાવધાનીઓ ૧) અભિષેક જલ પગમાં ન આવે એ ધ્યાન રાખવું. ૨) નાના ભગવાનને અભિષેક માટે લઇ જાઓ ત્યારે પ્રભુની આજ્ઞા લેવી જોઇએ.
“અણુજાણ ભય'...“હે પરમાત્મા આપ મને કૃપા કરીને આજ્ઞા આપો. હું પૂજા માટે આપને ગ્રહણ કરવા ઇચ્છું છું ત્રણ નવકાર ગણીને બહુમાન સાથે પ્રભુને ગ્રહણ કરવા. પંચ ધાતુના પ્રતિમાજીને એક હાથથી ન પકડો, બન્ને
હાથમાં બહુમાનથી લ્યો. ૩) સવાઇ આંગી બનાવવાની ભાવના હોય તો ફરી અભિષેક કરી શકાય. ૪) અભિષેકમાં વાળાકુંચીનો આડેધડ ઉપયોગ કરવામાં આશાતના છે. કેટલાય
ભગવાનનાં અંગો ઘસાઇ જાય છે. (જરૂરી હોય તો પાણીમાં પલાડવાથી કુણાશ
આવશે.) ૫) ક્યાંક કેસર રહી જતું હોય તો દાંતમાંથી કણી હળવેથી કાઢીએ એમ ઉપયોગ કરવો
જોઇએ.
૬) અભિષેક જળ આંખે લગાડી એજ હાથે પૂજા કરીએ તે યોગ્ય નથી, કાં તો તુરત
બહાર જઇ હાથ ધોવા જોઇએ (અભિષેક જળની કુંડીમાં હાથ ધોવાથી દોષ લાગે.)
ગુડનાઈટ. ૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org