________________
૩) બહુમાળની બિલ્ડીંગમાં ભીંત ઉપર ભીંત આવે છે, માટે કબાટમાં ભગ. રાખીએ
તો કોઇ બાધ નથી. ૪) અઢાર અભિષેકના ભગ. દર્શનીય છે, પર્દો ર્યો અથવા કબાટ બંધ કરો તો કોઇ
આશાતના થતી નથી. વાસક્ષેપ પૂજા થાય. દીવો, ધૂપથાય બે દિવસ રહી જાય તો ચાલે, ફોટાના પણ ૧૮ અભિષેક કરાવવા જોઇએ. સવારે ઉઠીને ઘરમાં ઘર દેરાસર હોય તો સર્વપ્રથમ ઘર – દેરાસરમાં દર્શન કરવા, ત્યારબાદ શ્રી સંઘના
દેરાસરે દર્શન કરવા જવું. ૫) ભગવાનને ઉંચા આસને બિરાજમાન કરવા. ૬) ભગવાનની જમણી બાજુ દેવ અને ડાબી બાજુએ દેવી બિરાજમાન કરવા અથવા
ઉપર નીચે ગોખલો પણ રાખી શકાય. ૭) શ્રી સંબોધ પ્રકરણમાં પૂ આ શ્રી હરિભદ્રસૂરિજી મ. સા. જણાવે છે કે જેની
સામાન્ય મૂડી (રૂા. ૧૦૦) હોય એને પણ ઘરમાં ઘર દેરાસર રાખવું જોઈએ.
આગળ જતા લખ્યું છે, જેના ઘરમાં ઘર દેરાસર નહિ એ ઘર ઘર નહીં, સ્મશાન છે. ૮) સંસ્કારોની કતલના આજના યુગમાં ઘરને બચાવવાના બે જ ઉપાયો છે.
૧) કાં તો ઘરે દીક્ષા થાય. ૨) કાં ઘરે ભગવાન હોય.
.. ઘર દેરાસરનું વિધાન. ૧) ઘરમાં પેસતાં આપણી ડાબી બાજુએ ૧.૫ હાથ ઉંચાઈએ જિન મંદિર બનાવવું.
ઇશાન ખુણામાં પૂજાનું સ્થાન ઘરમંદિર બનાવવું. ૨) ઘર દેરાસરમાં પંચધાતુના ભગવાન, પરિકરવાળા, પોતાની નામ રાશિના રાખવા. 3) ઘરમાં વડીલના અથવા સભ્યોના નામથી ભગવાન રખાય (દીકરીના નામથી નહિ) ૪) ૧-૩-૫-૭-૯-૧૧ ઈચથી મોટા ભગવાન ઘર દેરાસરમાં ન રખાય. ૫) ઘરદેરાસરમાં આરસપાષાણના ભગવાન ન રખાય. (સમયાવલી-આત્મપ્રબોધ,
પ્રતિષ્ઠાકલ્પ, વત્થસાર, બિંબ પરીક્ષા) ૬) પરિકર વગરના ભગવાન ઘર દેરાસરમાં ન ચાલે
ગુડનાઈટ... ૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org