________________
પહેલાં ઘર દેરાસરમાં દર્શન કરવા. ત્યાર બાદ સંઘ હસ્તકનું કોઈપણ ભગવાનનું દેરાસર હોય ત્યાં સર્વ પ્રથમ જવું. એ પણ સંઘનું સન્માન છે. પછી બીજા દેરાસરોમાં દર્શન કરવા જઈ શકાય.
દેરાસર કેટલા પ્રકારના? પ પ્રકારના દેરાસર હોય છે. ૧) મંગલ ચેત્ય: બારસાખ ઉપર ભગવાન પાર્શ્વનાથની મંગલમૂર્તિ ૨) ગૃહ (ભક્તિ) ચૈત્ય ઘર દેરાસર) ૩) શાશ્વત ચેત્ય: દેવલોકોમાં - નંદીશ્વરાદિમાં જે શાશ્વત દેરાસરો છે. ૪) નિશ્રાકૃત ચેત્ય: અમુક શેરીવાલા કે ગચ્છવાલા કે સોસાયટીનું પર્સનલ ૫) અનિશ્રાકૃત ચૈત્ય: સંઘનું દેરાસર.
.. મંગલ ચૈત્ય આજે ઘર ઘરમાં અશાંતિની આગ છે. કારણકે શાસ્ત્રમાં બતાવેલ માર્ગને જીવો અનુસરતા નથી.
.. જૈન શાસ્ત્રાનુસાર ગૃહ વાસ્તુ શિલ્પ... ઘરના મુખ્ય બારસાખ ઉપર જૈનો પાર્શ્વનાથાદિની મૂર્તિ અને અષ્ટમંગળ રાખે. (જૈન સિવાયના લોકો ગણપતિની મૂર્તિ રાખતા.) બારણા ઉપર મંગલ મૂર્તિ હતી, નીચે ઉંબરો હતો. આ બન્નેથી ઘર સુરક્ષિત રહેતું, માટે જ ઉંબરાનું પૂજન કરાતું.
ઘર શિલ્પ વિશે... ૧) ઘર સારી કામવાળા સજ્જનો રહેતા હોય એવા લત્તામાં હોય જેથી સંતાનના
સંસ્કાર ન બગડે. ૨) ઘરમાં યુધ્ધનાં ચિત્રો ન રખાય, અશાંતિ પેદા કરે (આજે નવી ફેશન ચાલી છે,
મહાભારતનું યુધ્ધ ચિત્ર રાખે છે.) ૩) ઘરમાં સિને ક્લાકાર કે ક્રિકેટરોના ફોટાન રખાય. કારણકે એ જીવો જેટલું પાપ કરે
એ બધું આપણને લાગી જાય (માટે ટી.વી. પણ ન રખાય.)
ગુડનાઈટ..૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org