________________
અનુવાદકની પ્રસ્તાવના માને. એ જ રીતે એક પંથના પંડિતો બીજા પંથના પોતા કરતાં અતિમહત્ત્વનાં શાસ્ત્રોનું પણ મહત્ત્વ નહીં સ્વીકારે એટલું જ નહીં, પણ તેઓ બીજા પંથોના શાસ્ત્રોને અડવા સુધ્ધાંની પોતાના અનુયાયીવર્ગને મનાઈ કરશે. ક્રિયાકાંડની બાબતમાં તો કહેવું જ શું? એક પંથનો પુરોહિત પોતાના અનુયાયીવર્ગને બીજા પંથમાં પ્રચલિત એવું તિલક સુધ્ધાં કરવા નહીં દે. આ ધર્મપંથોનાં કલેવરોની અંદરોઅંદરની સૂગ તેમ જ તકરારોએ હજારો વર્ષ થયાં પંથોમાં ઐતિહાસિક જાદવાસ્થળી પોષી છે.”
આ રીતે એક જ ધર્મના જુદા જુદા દેહોનું યુદ્ધ ચાલ્યા કરે છે. તેનું એક કારણ તો ઉપર બતાવવામાં આવ્યું જ છે અને તે એ કે તે ઉપર નભતા વર્ગની અકર્મણ્ય અને સગવડપ્રિય જિંદગી. પણ એનું બીજું પણ એક કારણ છે, અને તે છે દરેક પંથના અનુયાયી વર્ગની મતિમંદતા તેમ જ તેજોહીનતા. જો આપણે ઇતિહાસને આધારે એમ સમજીએ કે મોટેભાગે પંથના પોષકો માનવતાને સાંધવાને બદલે ખંડિત જ કરતા આવ્યા છે તો આપણી અનુયાયીવર્ગની એ ફરજ છે કે આપણે પોતે જ ધર્મનાં સૂત્રો હાથમાં લઈએ અને તેના વિષે સ્વતા વિચાર કરીએ. એક વાર અનુયાયીવર્ગમાંથી આવો વિચારી અને સાહસી વર્ગ બહાર પડે તો એ પંથના દેહપોષકોમાંથી પણ કોઈ એને સાથ આપનાર જરૂર મળી રહેવાનો.” - પંડિતજીએ ધર્મ અને પંથ વચ્ચેનો ભેદ વિશદ રીતે સ્પષ્ટ કર્યો છે. ધર્મમાં અંતર્દર્શન છે, જ્યારે પંથમાં બહિર્દર્શન છે; ધર્મ ગુણજીવી અને ગુણાવલંબી છે, જ્યારે પંથ રૂપજીવી અને રૂપાવલંબી છે. ધર્મ એકતા, અભેદ અને સમાનતા સ્થાપે છે, જ્યારે પંથ ભેદ અને વિષમતાનો જનક છે. ધર્મમાં સત્યને ગ્રહવાની તત્પરતા હોય છે, જ્યારે પંથમાં પોતાની માન્યતા જ સત્ય છે એમ માનવા-મનાવવાનો દુરાગ્રહ હોય છે. ધર્મમાં ચારિત્ર ઉપર ભાર હોય છે, જયારે પંથમાં જાતિ, લિંગ, ઉંમર, ભેખ, ચિહ્નો, ભાષા જેવી બહારની વસ્તુઓ ઉપર ભાર હોય છે. ધર્મ એક જ છે અને એટલે તેમાં ચોકાઓ નથી અને પરિણામે આભડછેટ જેવી વસ્તુને ત્યાં સ્થાન નથી. એથી ઊલટું પંથમાં ચોકાવૃત્તિ જ હોય છે અને જયાં દેખો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org