________________
સ્પંડિલ-માત્રુ જતાં પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ ઓછામાં ઓછો કરવો. ક્રિયા કરતાં પંચેન્દ્રિય મનુષ્ય કે તીર્થંચની આડ પડે (આપણી અને સ્થાપનાજીની વચ્ચેથી જાય) તો ઇરિયાવહી કરી લેવી.જયાંથી ક્રિયા અટકી હોય ત્યાંથી આગળ વધારવી. આમ તો ગામ બહાર નિર્દોષ ભૂમિમાં સ્પંડિલ જવાનું હોય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોય, વાડાનો ઉપયોગ કરવો પડે છે ત્યારે જયણા રાખવી જરૂરી છે. પહેલાં પ્યાલામાં રખ્યા નાંખવી, ઈંડિલ કર્યા બાદ ઉપર પણ રખ્યાનો ઉપયોગ કરવો, રાખના કારણે સુક્ષ્મજંતુઓ ચોંટતા નથી. પાણીનો બને એટલો ઓછામાં ઓછો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. ૪૮ મિનિટમાં જમીન ઉપર રહેલ પાણીનાં એઠાં બિંદુઓ જો સુકાય નહીં તો તેમાં અસંખ્યાત સંમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. માત્રાનો પ્યાલો ઢાંકણું ઢાંકીને પરઠવવા લઈ જવો. ઉઘાડો નહીં. મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન કરવો.
જ્યાં ત્યાં સ્પંડિલ-માત્રુ પરઠવવું નહીં. બીજાને અપ્રીતિ થાય તેવું ન કરવું. કાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વગેરેથી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org