________________
સમરણ કરવાથી પરમાત્મા આપણા મનમંદિરમાં મળવા માટે આવે છે.
નામ અને નામી કથચિત અભેદ સંબંધ છે. લા શબ્દ બોલવાથી તેને દેખાવ, સ્વા, બધું નજર સમક્ષ આવે છે. રસગુલ્લાં' શબ્દ બોલીએ છીએ ત્યારે કેટલાક રસલુપી માણસને મોઢામાં પાણી આવે છે, તે બતાવે છે કે વસ્તુના નામને વહુ સાથે સીધો સંબંધ છે. તેવી રીતે “અરિહંત” એવા નામને સાક્ષાત્ અરિહંત પરમાત્મા સાથે સીધે સંબંધ છે. માટે કહ્યું છે કે
“નામ ગ્રહે આવી મળે, મન ભીતર ભગવાન”
માટે પરમાત્માને મેળવવાની તીવ્ર ઝંખના Dynamic Desire આ૫ણામાં ઉત્પન્ન કરવી અને તે ઝંખના પૂર્ણ કરવા માટે ચારે નિક્ષેપે વિવિધ વિવિધ પ્રભુભક્તિ, spall (Dlvotion to Divinity).
જૈનશાસનમાં ચાર નિક્ષેપાનું અદ્દભુત તત્વજ્ઞાન છે. ભાવ નિક્ષેપે તો અતિ ઉપકારી છે જ, પરંતુ નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ પણ એટલા જ ઉપયોગી છે.
પ્રથમ ભૂમિકા નમસ્કાર મંત્રની આરાધના તે નામ નિક્ષેપની આરાધના છે. જેને કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા રોગશાસ્ત્રમાં પદસ્થ ધ્યાન કહે છે.
પ્રથમ નમસ્કાર મંત્રના જાપ વિષયક કેટલીક મહત્વની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org