________________
ભગવાનની પૂજા અષ્ટ પ્રકારથી તેમ જ ઘણા પ્રકારથી થાય છે. સર્વે પૂજાનું ધ્યેય આપણા ચિત્તની શુદ્ધિ કરવી તે જ છે. અષ્ટ પ્રકારની પૂજા કરતી વખતે મનમાં વિવિધ પ્રકારના શુદ્ધ ભાવ રાખવાના હોય છે. ભગવાનને શુદ્ધ જલથી પક્ષાલ કરીએ ત્યારે આત્માની મલિનતા ધોવાય તેવી ભાવના કરવાની છે. ચંદન ચડાવતી વખતે સંસારના સૌ તાપની શાન્તિ થાય અને શીતળતા પ્રગટે તેવી ભાવના કરવાની છે. ભગવાનને અક્ષત પૂજા કરતી વખતે મોક્ષપદ (અક્ષય)ની પ્રાપ્તિ કરવાની ભાવના રાખવાની છે. ભગવાનની ફૂલ પૂજા કરતી વખતે કામ અને અન્ય વિકારોનો નાશ કરવાની ભાવના રાખવાની છે. ભગવાનની દિપકથી પૂજા કરતી વખતે મોહ માયા વગેરે અહંકારનો નાશ કરવાની ભાવના મનમાં રાખવાની છે. ભગવાનની ધૂપ પૂજા કરતી વખતે કર્મોનો નાશ કરવાની ભાવના કરવાની છે. ફળથી પૂજા કરતી વખતે ઉત્તમ ફળ-મોક્ષ પ્રાપ્ત કરવાની ભાવના રાખવાની છે.
ભગવાનના દર્શન કરતી વખતે પ્રભુએ દર્શાવેલ પાંચ મહાવ્રતનું પાલન અને કષાયોનો ત્યાગ એ સિદ્ધાંતોનું આપણા જીવનમાં જેમ બને તેમ વધારે પાલન થાય એવી પ્રાર્થના કરવાની છે. જીવ માત્ર માટે સમભાવ, ક્ષમા, પ્રેમની લાગણી થાય એ ભાવથી પ્રભુની ભક્તિ કરવાની છે.
વંદન
પૂજય સાધુભગવંત, સાધ્વીજી આદિ ગુરુજનોનો વિધિપૂર્વક વિનય કરવો તેમનું બહુમાન કરવું, ઉલ્લસિત હૈયે તેમને વંદન કરવું, એ આવશ્યક ક્રિયા છે. આત્મ સાધનામાં સહાયક ચીજ વસ્તુઓ આપવી વસ્ત્ર-પાત્ર આહાર પાણી આદિ આપીને તેમની ભક્તિ કરવી અને સેવા સુશ્રુષા કરવી, તેમ જ તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવો અને આત્મસાધના માટે માર્ગદર્શન મેળવવું, એ આ ક્રિયાના ભાગ રૂપે છે.
દેવ અને ધર્મ તત્ત્વની જેમ જૈન શાસનમાં ગુરુત્ત્વની પણ ખૂબ જ મહત્તા છે. દેવને ઓળખનાર અને ધર્મને સમજાવનાર આ જગતમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org