________________
કષાયો જેવા કે કામ, ક્રોધ, મોહ, માયા, લોભ, રાગ, દ્વેષ, અહંકાર વગેરનો ત્યાગ. આ વ્રતોનું ચુસ્તપણે પાલન કરવાથી અને કષાયોનો સંપૂર્ણ ત્યાગ કરવાથી નવા કર્મો બંધાતાં નથી અને સંચિત કર્મોનો ક્ષય કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
મોક્ષ પ્રાપ્ત કરવા માટે સંસાર ત્યાગ અનિવાર્ય છે. જ્યાં સુધી સંસારમાં મનુષ્યો રહે છે, ત્યાં સુધી કર્મો બંધાયા વગર રહેતાં નથી. અને કર્મોનાં બંધન તૂટે નહીં, ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત થઈ શકે નહીં. પંરતુ મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરવું હોય એટલે આ ભાવમાં મનને સ્થિર કરવું હોય તો ઉપરનાં વ્રતોનું પાલન અને કષાયોના ત્યાગથી તે શક્ય બનાવી શકાય છે. મહાવીર પ્રભુએ ઉપદેશ આપેલ જૈન ધર્મના સિદ્ધાંતો નીચે મુજબ છે.
અહિંસા
હિસાથી નિવૃત્ત થવું તે અહિંસા છે. પ્રત્યેક આત્મા પછી, તે પૃથ્વીનો હોય, પાણીનો હોય, વનસ્પતિનો હોય, કીટ, પતંગ કે પશુ, પક્ષી રૂપે હોય કે પછી મનુષ્ય રૂપે હોય તે બધા તાત્ત્વિક સમાન છે. જૈન ધર્મનો આ જ સાર છે. સમાનતાના સિદ્ધાંતોનો અમલ કરવો અને જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉદારતાથી પ્રયત્નો કરવા તે જ સાચી અહિંસા છે. જેવી રીતે આત્મા પોતાનાં દુઃખોનો અનુભવ કરે છે, તેવી જ રીતે બીજાનાં દુઃખોનો અનુભવ કરે અર્થાત્ બીજાના દુ:ખની પોતાના દુઃખ રૂપે સંવેદના થાય તે પણ અહિંસા છે.
બાવીસમા તીર્થંકર નેમીનાથ પ્રભુના લગ્ન પ્રસંગે અનેક પશુઓનો વધ કરવાનો છે તે જાણી તેમનું દિલ દયા અને અનુકંપાથી ભરાઈ ગયેલ. સંસાર તરફ અણગમો થવાથી લગ્ન કરવાનું માંડીવાળી, સંસાર ત્યાગ કરી સાધુ જીવન સ્વીકારેલ.
ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ પણ સંપૂર્ણ અહિંસામાં માનતા હતા. વારાણસી નગરમાં તપસ્વી કામઠ જ્યારે પંચાગ્નિ તપ કરી રહ્યા હતા, ત્યારે સળગતા લાકડામાંથી નાગ-નાગણીને ઉગારીને પ્રભુએ નવકાર મંત્રના જાપ સંભળાવેલ. જેના પ્રભાવથી બન્ને દેવ ગતિને પ્રાપ્ત થયેલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org