________________
બાંધે છે. આ સંચિત કર્મોને ભોગવવા વારંવાર જન્મ ધારણ કરે છે. આત્માને આ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ આપવે તે મોક્ષ છે. જયારે આવી સ્થિતિ પ્રાપ્ત થાય કે જૂનાં કર્મોનો સંપૂર્ણ ક્ષય થાય અને નવાં કર્મો બંધાતાં સદંતર બંધ થઈ જાય, ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. કર્મોના આવરણને લીધે તેની ક્ષતિઓ ઢંકાઈ ગઈ છે. પરંતુ આ પછી એ કર્મોનાં આવરણો દૂર થતાં જાય, નવાં કર્મો બંધાતાં અટકે અને જૂનાં કર્મોનો ક્ષય થાય, ત્યારે એ સ્થિતિમાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. અને જીવને મુક્તિ અથવા મોક્ષ પ્રાપ્ત થાય છે. મોક્ષ એટલે મુક્તિ, સ્થિરતા. આત્માને જે સંસાર ચક્રમાં ભવોભવ જન્મ લેવો પડે છે, તેમાંથી મુક્તિ એટલે
મોક્ષ.
મહાવીર પ્રભુના જણાવ્યા પ્રમાણે આ લોક ચૌદ વિભાગમાં વહેંચાયેલો છે. ચૌદ રાજલોક કહ્યા છે. દરેક રાજ લોક અબજો માઈલ કરતાં વધારે લાંબા પહોળા છે. આ લોકના મુખ્ય ત્રણ ભાગ છે. ઊર્ધ્વ લોક એટલે ઉપરનો ભાગ. જેમાં મુખ્યત્વે અનેક પ્રકારના દેવો રહે છે. અને સૌથી ઉપર સિદ્ધ શિલામાં સિદ્ધ ભગવંતો વસે છે.આ સિદ્ધ શિલામાં આત્માઓ સ્થિર રહે છે અને તેમને સિદ્ધ કહેવામાં આવે છે. તેમને જન્મ જન્માંતરના ફેરા ફરવાના હોતા નથી. મધ્યલોક એટલે વચલો ભાગ. આ ભાગમાં આપણે મનુષ્યો, પશુઓ અને કેટલાક દેવો રહે છે. આપણે જંબુદ્વીપના ભરત ક્ષેત્રના દક્ષિણ ભાગમાં રહીએ છીએ. અધો લોક એટલે નીચેનો ભાગ. જેમાં મુખ્યત્વે સાત નારકી આવેલા છે. ભયંકર પ્રકારના પાપ કરનાર, ચોરી, જૂઠ, પશુઓની કતલ વગેરે કરનાર પાપી મનુષ્યો નારકીમાં જન્મ લે છે.
જૈન ધર્મ પ્રમાણે મનુષ્યભવનો સારામાં સારો ઉપયોગ મોક્ષ પ્રાપ્ત કરવા માટે છે. મોક્ષ પ્રાપ્તિ એટલે નવા કર્મોના ઉદ્ભવનો અંત અને જૂના કર્મોનો ક્ષય. હવે આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય શું? મહાવીર પ્રભુએ મોક્ષ પ્રાપ્ત કરવા માટે પાંચ મહા વ્રતનું પાલન અને કષાયોનો ત્યાગ કરવો એમ ઉપદેશ આપેલો છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વ્રતોનું પાલન અને
Jain Education materoine
WWW.Ennen rary.org